- ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે મેચ રમાઈ રહી છે
- શ્રીલંકાના રિસ્ટ સ્પિનર જેફ્રી વેન્ડરસેને કર્યો કમાલ
- આ મેચમાં તેણે 6 વિકેટ લઈને એક મોટી સિદ્ધિ હાંસલ કરી
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. 241 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો શ્રીલંકાના લેગ સ્પિનર જેફ્રી વેન્ડરસે સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ દરમિયાન તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
હસરંગાની જગ્યાએ ટીમમાં જગ્યા મળી













