- ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી સિરીઝ રમાશે
- આ સિરીઝ સિનિયર ખેલાડીઓને આરામ આપી શકે છે
- રોહિત વિરાટ અને જસપ્રિત બુમરાહને આરામ આપી શકે
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 T20 મેચોની સીરીઝ રમાઈ રહી છે. BCCIએ આ સિરીઝમાં નવા ખેલાડીઓને તક આપી છે. ટીમે 2 મેચ રમી છે, જેમાં 1 મેચ જીતી છે અને 1 મેચ હારી છે. ટીમ ઈન્ડિયાએ હજુ 3 વધુ મેચ રમવાની છે. આ પછી ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસ પર જશે, જ્યાં 27 જુલાઈથી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ રમવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI આ સિરીઝમાં પોતાના સિનિયર ખેલાડીઓને પણ આરામ આપી શકે છે.
આ ખેલાડીઓને આપશે આરામ
BCCI શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ એટલે કે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને આરામ આપી શકે છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પંડ્યા અથવા કેએલ રાહુલને આપવામાં આવી શકે છે. સાથે જ યુવા ખેલાડીઓની સાથે સાથે કેટલાક અનુભવી ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરી શકાય છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ સપ્ટેમ્બરથી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. આ પછી ટીમ ઈન્ડિયા આવતા વર્ષે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઈટલ પર કબજો કરવાની તૈયારી કરશે.
કોને તક મળી શકે?
રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા અથવા કેએલ રાહુલને ટીમની કપ્તાની સોંપવામાં આવી શકે છે. આ સિવાય જો વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ ટીમમાં ન હોય તો ટીમમાં અભિષેક શર્મા, શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમાર જેવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે.
ભારત નવા કોચ સાથે આ સિરીઝમાં પ્રવેશ કરશે
શ્રીલંકા સામેની સિરીઝમાં ભારતીય ટીમ પોતાના નવા કોચ સાથે મેદાનમાં ઉતરશે. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના કોચની જવાબદારી સંભાળી શકે છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહેલા રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચમાં સમાપ્ત થઈ ગઈ છે. નેશનલ ક્રિકેટ એકેડમીના ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણને વર્તમાન ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ બનાવવામાં આવ્યા છે. BCCI સેક્રેટરી જય શાહે હાલમાં જ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા પોતાના નવા કોચ સાથે રમવા શ્રીલંકા જશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ શેડ્યૂલ
- 27 જુલાઈએ પ્રથમ T20 મેચ
- 28 જુલાઈએ બીજી T20 મેચ
- 30મી જુલાઈ 3જી T20 મેચ
- 2 ઓગસ્ટ પ્રથમ ODI મેચ
- 4 ઓગસ્ટ બીજી ODI મેચ
- 7 જુલાઈ 3જી ODI મેચ