• ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ માટે તૈયાર
  • શ્રીલંકા પ્રવાસમાં 3 મેચની T20 અને 3 મેચની વનડે સિરીઝ રમશે
  • શ્રીલંકા સામેની સિરીઝમાં સિનિયર ખેલાડીઓને અપાશે આરામ

ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ માટે તૈયાર છે. જ્યાં 27 જુલાઈથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થશે. આ પછી માત્ર ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ગયેલી યુવા ટીમના કેટલાક ખેલાડીઓને શ્રીલંકા પ્રવાસ પર પણ જગ્યા મળી શકે છે. આમાંથી એક એવો ખેલાડી છે જેણે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરતી વખતે જ કમાલ કરી હતી.

આ ખેલાડીઓને મળી શકે છે તક

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અભિષેક શર્માએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું અને શાનદાર સદી ફટકારી હતી. તેણે છેલ્લી મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને એક વિકેટ પણ લીધી હતી. તેથી તેને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીમમાં યશસ્વી જયસ્વાલનું સ્થાન લગભગ નિશ્ચિત છે. જયસ્વાલે ચોથી T20માં 53 બોલમાં 93 રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

ઓલરાઉન્ડરમાં વોશિંગ્ટન સુંદરનું સ્થાન નિશ્ચિત

બીજી તરફ રવિન્દ્ર જાડેજાના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી શકે છે. સુંદરે ઝિમ્બાબ્વે પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બોલ અને બેટથી યોગદાન આપ્યું. તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. તેણે 5 મેચમાં 8 વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 77 અને 49 રનની અણનમ ઇનિંગ રમનાર રૂતુરાજ ગાયકવાડને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી શકે છે.

હાર્દિક પંડ્યાની નહી હોય કપ્તાન

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ સિરીઝ હશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે હાર્દિક પંડ્યાને T20 અને KL રાહુલને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહને આરામ આપવાની વાત થઈ હતી. જો કે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે T20 ટીમની કપ્તાની હાર્દિકને બદલે સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી શકે છે.

શું છે સિરીઝનું શેડ્યૂલ?

પહેલા શ્રીલંકાનો પ્રવાસ 26 જુલાઈથી શરૂ થવાનો હતો, પરંતુ બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે T20 સિરીઝની પ્રથમ મેચ 27મી જુલાઈએ પલ્લેકલેમાં રમાશે. બીજી મેચ 28મી જુલાઈએ અને ત્રીજી મેચ 30મી જુલાઈએ રમાશે. આ પછી વનડે શ્રેણી શરૂ થશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 2 ઓગસ્ટે કોલંબોમાં રમાશે. બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી મેચ 7 ઓગસ્ટના રોજ રમાશે.આ ત્રણેય મેચ કોલંબોમાં રમાશે.

  • Follow us on: