• ટીમ ઈન્ડિયાએ સુપર-8ની પોતાની પ્રથમ મેચ જીતી
  • ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત
  • સુપર-8માં ભારત તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે

ટીમ ઈન્ડિયાએ સુપર-8ની પોતાની પ્રથમ મેચ જીતી લીધી છે. ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામે બીજી મેચ રમશે. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે. જ્યારે સુપર-8માં રોહિત સેના તેની છેલ્લી મેચ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમશે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ગમે તે નંબર પર હોય, આઈસીસીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે રોહિત સેના ભારતીય સમય અનુસાર 27 જૂને ગયાનામાં સેમીફાઈનલ રમશે.

સુપર-8માં પહોંચેલી તમામ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રૂપની ટોપ-2 ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ગ્રુપ-1ની ટોપર ટીમનો મુકાબલો બીજા ગ્રુપની બીજા ક્રમની ટીમ સાથે થશે. બીજા ગ્રૂપની ટોપર ટીમનો મુકાબલો પ્રથમ ગ્રૂપમાં બીજા ક્રમે આવનારી ટીમ સાથે થશે. જો કે ICCએ નિર્ણય લીધો છે કે ટીમ ઈન્ડિયા બીજી સેમીફાઈનલ રમશે.

બીજી સેમિફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે નથી

T20 વર્લ્ડકપ 2024ની પ્રથમ સેમિફાઇનલ 27 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે રમાશે. એટલે કે વેસ્ટ ઈન્ડિઝમાં મેચ 26 જૂનની રાત્રે શરૂ થશે. ICCએ આ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જ્યારે ICCએ ભારતની મેચ માટે રિઝર્વ દિવસ રાખ્યો નથી. જો આ મેચમાં વરસાદ થશે તો મેચ શરૂ થવા માટે લગભગ 4 કલાકની રાહ જોવી પડશે. જો હજુ પણ મેચ યોજી શકાશે નહીં તો સુપર-8ના પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે.

ભારત માટે તમામ મેચ જીતવી મહત્વપૂર્ણ

ICCના નિયમો અનુસાર, જો ભારતીય ટીમ 24 જૂને સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી જાય છે અને ત્યારબાદ સેમિફાઇનલ મેચ વરસાદને કારણે ધોવાઇ જાય છે, તો ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેવાને કારણે હારી જશે. બીજી તરફ જો ભારતીય ટીમ સુપર-8માં ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો સેમીફાઈનલ રદ્દ થવાની સ્થિતિમાં ભારતીય ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. ગયાનામાં 27 જૂને ભારે વરસાદની સંભાવના છે.

  • Follow us on: