• વર્લ્ડકપમાં ભારતનો સૌથી ઓછો સ્કોર 125 રન
  • વર્લ્ડકપ 2023માં ભારતનો સૌથી ઓછો સ્કોર 229 રન
  • વર્લ્ડકપમાં ભારતીય ટીમ પાંચ વખત ઓલઆઉટ

ભારતે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 10 વખત સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે. જેમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ભારતીય ટીમ 10માંથી માત્ર બે મેચ જીતી શકી છે. 1983ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ લોર્ડ્સમાં માત્ર 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, પરંતુ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 140 રનમાં આઉટ કરીને મેચ જીતી લીધી હતી. વર્લ્ડકપ 2023માં ભારતનો સૌથી ઓછો સ્કોર ઇંગ્લેન્ડ સામે 229 રન છે. આ મેચમાં ભારતીય ટીમે 100 રને વિજ્ય મેળવ્યો હતો. પરંતુ જો આપણે બે મેચ છોડી દઈએ તો ભારતે તમામ 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

વર્લ્ડકપમાં ભારતનો સૌથી ઓછો સ્કોર 125 રન 

વર્લ્ડકપમાં ભારતનો સૌથી ઓછો સ્કોર 125 રન છે. 15 ફેબ્રુઆરી 2003ના રોજ સેન્ચુરિયનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમ માત્ર 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 166 બોલ બાકી રહેતા 128 રન બનાવીને તે મેચ 9 વિકેટે જીતી લીધી હતી.

વર્લ્ડકપમાં ભારતીય ટીમ પાંચ વખત ઓલઆઉટ

વર્લ્ડકપમાં ભારતીય ટીમ સૌથી ઓછી 5 વખત ઓલઆઉટ થઈ હતી અને સ્કોરનો પીછો કરતી વખતે સૌથી ઓછા 4 વખત ઓલઆઉટ થઈ હતી. જ્યારે પણ ભારતીય ટીમ વર્લ્ડકપમાં ઓછા સ્કોર પર આઉટ થઈ છે ત્યારે તેને હારનો સામનો કરવો પડ્યો છે. 1975માં વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ભારતીય ટીમ 202 રને મેચ હારી ગઈ હતી. તે મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 334 રન બનાવ્યા હતા. પરંતુ રનનો પીછો કરતી વખતે ભારતીય ટીમ 60 ઓવર રમીને ત્રણ વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ બનાવી શકી હતી. તે મેચમાં સુનીલ ગાવસ્કરે 174 બોલનો સામનો કરીને માત્ર 32 રન બનાવ્યા હતા અને અંત સુધી અણનમ રહ્યા હતા.


  • Follow us on: