• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ
  • આ મેચમાં ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા
  • ગિલ બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સસ્તામાં આઉટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર જોવા મળ્યા હતા. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને રજત પાટીદારનો બીજી ટેસ્ટ મેચમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. હૈદરાબાદ ટેસ્ટ બાદ એવી આશા હતી કે શુભમન ગિલ આ મેચમાંથી બહાર થઈ શકે છે. કારણ કે શુભમન ગિલ છેલ્લી અનેક ટેસ્ટ ઇનિંગ્સમાં સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. જે બાદ તેને ટીમમાંથી બહાર કરવાની માંગ ઉઠવા લાગી હતી. હવે ફરી એકવાર ગિલ બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સસ્તામાં આઉટ થયો હતો.

ગિલનો ફ્લોપ શો ચાલુ

વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હતો અને ત્યારબાદ શુભમન ગિલ ક્રિઝ પર બેટિંગ કરવા આવ્યો હતો. ગિલની બેટિંગ જોઈને લાગતું હતું કે તે આજે લાંબી ઈનિંગ્સ રમી શકે છે. પરંતુ ફરી એકવાર ગિલ ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. શુભમન ગિલ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 34 રન બનાવીને આઉટ થયો હતો.

જે બાદ ગિલને સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા ટ્રોલ થવાનું શરૂ થઈ ગયું હતું. એક યુઝરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, શુભમન ગિલ અને ગિલની બીજી મેચ ફરી એકવાર ફ્લોપ થઈ. આ સિવાય બીજી મેચમાં સરફરાઝ ખાનને તક ન આપવા અને ગિલને રમવા માટે પણ તેને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

ટેસ્ટ ટીમમાંથી થઈ શકે છે બહાર

પ્રથમ ટેસ્ટ મેચમાં પણ શુભમન ગિલ બંને ઇનિંગ્સમાં ફ્લોપ સાબિત થયો હતો. આ પછી બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ ગિલની હાલત એવી જ રહી હતી. હવે ફરી એકવાર શુભમન ગિલને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવાની માંગ સોશિયલ મીડિયા પર તેજ થઈ ગઈ છે. જો આ મેચની બીજી ઇનિંગમાં પણ ગિલનું બેટ કામ ન કરે તો તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. જ્યારથી ગિલને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક મળી ત્યારથી ટેસ્ટ ક્રિકેટમાં તેનું પ્રદર્શન કથળી રહ્યું છે. જેના કારણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન પણ થોડું વધવા લાગ્યું છે.

  • Follow us on: