- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચની ટેસ્ટ ધર્મશાળામાં રમાશે
- આ સીરિઝમાં જાડેજાનું બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન
- રવિન્દ્ર જાડેજાની હરકતથી કોચ અને સાથી ખેલાડી નારાજ
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજકોટ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકાર્યા બાદ જાડેજાએ બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ધર્મશાળા પહોંચતા જ ભારતીય કોચ અને સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજાની હરકતોથી ઘણા નારાજ જોવા મળ્યા હતા. બોલ અને બેટ સિવાય રવિન્દ્ર જાડેજા પોતાની ફિલ્ડિંગથી પણ ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જ્યારે જાડેજાનો ધર્મશાળામાં નવો વિવાદ તેની બેટિંગ સાથે જોડાયેલો છે.
કોચ અને સાથી ખેલાડી જાડેજા નારાજ
એક અહેવાલ મુજબ, ભારતીય ટીમ ધર્મશાળામાં નેટ પ્રેક્ટિસ કરી રહી હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજા પણ નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, પરંતુ તેણે લાંબા સમય સુધી પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. આ પછી, ભારતીય ટીમના કોચે તેને બહાર આવવા કહ્યું, પરંતુ તેણે નેટ્સમાં પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખ્યું હતું. જાડેજાએ તેને કહ્યું કે તેણે હજુ થોડો સમય બેટિંગ કરવાની છે. જે બાદ તેણે નેટ્સમાં થોડો સમય બેટિંગની પ્રેક્ટિસ કરી હતી.
જાડેજા બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન
લાંબા સમયથી રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં પોતાની બોલિંગ અને બેટિંગથી ભારત માટે સારુ પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા તેણે 180 બોલમાં 87 રનની ઈનિંગ રમી હતી. જાડેજા હૈદરાબાદ ટેસ્ટમાં ભારતનો ટોપ સ્કોરર હતો. આ પછી રાજકોટ ટેસ્ટમાં ઈજા બાદ વાપસી કરી રહેલા જાડેજાએ ઈંગ્લેન્ડ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર શાનદાર સદી ફટકારી હતી. જાડેજાએ આ જ મેચની બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે જાડેજાએ રાંચી ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં 4 અને બીજી ઈનિંગમાં 1 વિકેટ ઝડપી હતી.
સીરિઝમાં 3-1થી સરસાઈ મેળવી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં અત્યાર સુધીમાં ચાર ટેસ્ટ મેચ રમાઈ છે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને 28 રને હરાવ્યું હતું. જ્યારે તે પછી બાકીની ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને જીતની હેટ્રિક લગાવી હતી. હવે કેપ્ટન રોહિત શર્માની નજર ધર્મશાળા ટેસ્ટ જીતીને સિરીઝ 4-1થી જીતવા પર હશે, પરંતુ બીજી તરફ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ પણ છેલ્લી ટેસ્ટ જીતીને ભારતના પ્રવાસનો અંત કરવા ઈચ્છશે.