- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝની છેલ્લી ટેસ્ટ
- હિમાચલ પ્રદેશના ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે મેચ
- ઈંગ્લેન્ડની ટીમે તેની પ્લેઈંગ-11ની જાહેર કરી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાવાની છે, પરંતુ ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ઈંગ્લેન્ડની ટીમે તેની પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. ધર્મશાળા ટેસ્ટ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વૂડની વાપસી થઈ છે. જ્યારે ઓલી રોબિન્સન રાંચી ટેસ્ટ બાદ બહાર થઈ ગયો છે. ઓલી રોબિન્સને રાંચી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શાનદાર ફિફ્ટી ફટકારી હતી, પરંતુ તેમ છતાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ધર્મશાળાની પીચ જોયા બાદ તેને ડ્રોપ કરી દીધો હતો. ઈંગ્લેન્ડની ટીમ 3 માર્ચે ધર્મશાળા પહોંચી અને 4 માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરી હતી.
માર્ક વુડની વાપસી
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વૂડને ધર્મશાળા ટેસ્ટ માટે પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, ધર્મશાળાની પિચ અને હવામાન ફાસ્ટ બોલરોને મદદ કરે છે. જેના કારણે ઈંગ્લેન્ડે ઓલી રોબિન્સનની જગ્યાએ માર્ક વૂડનો સમાવેશ કર્યો છે. વુડે આ સીરિઝમાં અત્યાર સુધી ભારત સામે શાનદાર બોલિંગ કરી છે. તેણે પોતાની ગતિ અને સ્વિંગથી ભારતીય બેટ્સમેનોને પણ પરેશાન કર્યા છે. જેના કારણે ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટે ધર્મશાળા ટેસ્ટ માટે રોબિન્સન કરતાં વુડ પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ઓલી રોબિન્સન રાંચી ટેસ્ટમાં ફેલ
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનને ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પોતાની બોલિંગથી કોઈ પ્રભાવ પાડી શક્યો નહોતો. રાંચી ટેસ્ટના પ્રથમ દાવમાં રોબિન્સને 13 ઓવર ફેંકી હતી. જેમાં તેણે 4.15ની નબળી ઈકોનોમીમાં 54 રન આપ્યા અને કોઈ વિકેટ લીધી ન હતી. જ્યારે બીજા દાવમાં રોબિન્સનને એક પણ ઓવર પણ આપવામાં આવી ન હતી. જોકે, તેણે રાંચી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બેટ વડે કમાલ કરી હતી. જે પીચ પર તમામ બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, તે જ પિચ અને બોલરો સામે તેણે 96 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના આધારે ઈંગ્લેન્ડ પ્રથમ દાવમાં 353 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, જોની બેરસ્ટો, ઓલી પોપ, બેન ડકેટ, જો રૂટ, બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન, શોએબ બશીર.