- જસપ્રીત બુમરાહની મેદાન પર વાપસી
- BCCIએ બુમરાહનો વીડિયો શેર કર્યો
- આયરલેન્ડ પ્રવાસમાં બુમરાહ ટીમનો કેપ્ટન
ભારત અને આયરલેન્ડ વચ્ચે 18 ઓગસ્ટથી 3 મેચની T-20 સીરિઝ રમાશે. જસપ્રીત બુમરાહ આ સીરિઝમાં ભારતીય ટીમનું નૈતૃત્વ કરશે. બુમરાહ ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર હતો, પરંતુ હવે તે મેદાન પર પરત આવ્યો છે. બુમરાહ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક દિલચસ્પ વીડિયો શેર કર્યો છે. આ સાથે આયરલેન્ડ પ્રવાસના અમૂક ફોટો શેર કરવામાં આવ્યા છે. બુમરાહ સાથે આ સીરિઝમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.













