ભારતીય ફાસ્ટ બોલર મયંક યાદવે બાંગ્લાદેશ સામે રમાયેલી 3 મેચની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે પોતાની ઝડપી બોલિંગથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. તેણે IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, મયંકે પોતાની સફળતાનો શ્રેય બે ખાસ લોકોને આપ્યો છે. તેણે કહ્યું હતું કે તેને ઓળખ અપાવવામાં બે ખાસ લોકોનો હાથ હતો.
મયંક યાદવે આ લોકોને ક્રેડિટ આપી
મયંક યાદવે તેની સફળતાનો શ્રેય તેના દિવંગત કોચ તારક સિંહા અને એનએસ નેગીને આપ્યો છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતા તેણે કહ્યું હતું કે જ્યારે હું દિલ્હી ટીમ માટે રમવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે તારક સિંહા અને એનએસ નેગી સર એ મને સપોર્ટ કર્યો હતો. આ દરમિયાન ફાસ્ટ બોલરે કહ્યું હતું કે આજે હું જે કંઈ છું તે આ બે લોકોના કારણે છું.
IPLમાં શાનદાર પ્રદર્શન
તેના શાનદાર પ્રદર્શનના આધારે LSGએ તેને 20 લાખ રૂપિયા ખર્ચીને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. પરંતુ તે IPL 2023માં રમી શક્યો નહોતો. ટીમમાં સખત સ્પર્ધાના કારણે તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો. પરંતુ વર્ષ 2024 તેના માટે શાનદાર રહ્યું. કેએલ રાહુલે તેને તક આપી. જોકે ઈજાના કારણે તે તમામ મેચ રમી શક્યો નહોતો. તેણે 4 મેચમાં 7 વિકેટ લીધી હતી. જોકે આ દરમિયાન મયંકે 156 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને બધાને ચોંકાવી દીધા હતા. તે IPL 2024માં સૌથી ઝડપી બોલ ફેંકનાર બોલર પણ બન્યો હતો.
બાંગ્લાદેશ સામે પણ શાનદાર પ્રદર્શન
મયંકે બાંગ્લાદેશ સામેની પ્રથમ 2 મેચમાં 1-1 વિકેટ લીધી હતી. ત્રીજી મેચમાં તેણે 8 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તે ઈનિંગના પ્રથમ બોલ પર વિકેટ લેનારો ભારતનો ચોથો બોલર પણ બન્યો હતો. આ મામલામાં તે ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ પછી ચોથો બોલર બન્યો છે. તેને ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે ભારતીય ટીમનો પણ ભાગ બનાવવામાં આવ્યો છે.