- હાર્દિક પંડ્યાએ દિલ્હીની ટીમના કર્યા વખાણ
- અમે મેચ સમયે વધારે જાગરુક રહી શક્યા નહીંઃ પંડ્યા
- દિલ્હીના જેક ફ્રેઝર મેકગર્કના ભરપેટ કર્યા વખાણ
હાર્દિક પંડ્યાની અધ્યક્ષતામાં મુંબઈ ઈન્ડિયન્સને વધી એક હાર મળી છે. આ સાથે મુંબઈને પ્લેઓફમાં પહોંચવામાં વધુ એક ઝટકો લાગશે. દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024ની 43મી મેચમાં મુંબઈની ટીમને હરાવી હતી. મુંબઈની આ સીઝનની છઠ્ઠી હાર છે. મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે તેમની ટીમથી ક્યાં ભૂલ થઈ છે. દિલ્હી સહિત એમઆઈને જીત માટે 258 રનનું લક્ષ્ય આપ્યું હતું. તેનાથી મુંબઈ 10 રન દૂર રહ્યું અને મેચ હારી ગયું. મેચ બાદ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ હારનું કારણ જણાવ્યું.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને હાર બાદ શું કહ્યું
હાર્દિક પંડ્યાએ દિલ્હીના રમવાના અંદાજના વખાણ કર્યા, તેઓએ કહ્યું કે દિલ્હી કેપિટલ્સે એક પોઝિટિવ માઈન્ડસેટની સાથે મેચ રમી છે. આ મેચમાં વચ્ચે થોડો ચાન્સ લેવાની જરૂર હતી. અમે મેચમાં વધારે જાગરુક રહી શક્યા નહીં. તેના કારણે મેચ ખોવવી પડી. હાર્દિકે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનના વખાણ કર્યા. તેઓએ જેક ફ્રેઝર મેકગર્કને લઈને કહ્યું કે બેટિંગ વિચારીને સમજીને કરવી અને રિસ્ક લેવું. તેઓએ તેમની બેટિંગથી દેખાડી દીધું કે યુવા ખેલાડી કેટલા નીડર હોય છે. આ કારણે દિલ્હીને જીત મળી.
હાર્દિક પંડ્યા પર છે ફેન્સનું ફોકસ
મળતી માહિતી અનુસાર ખેલાડીઓના નામ પર મહોર લાગી ચૂકી છે પણ હાર્દિક પંડ્યાની ફિટનેસ અને બોલિંગને જોતાં તેની પર વધારે ફોકસ છે. આમ તો હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવે છે. પણ આઈપીએલ સીઝન તેમના ઓલરાઉન્ડરનું પ્રદર્શન પણ હજુ સુધી જોવા મળ્યું નથી. આ કારણે કેપ્ટન રોહિત શર્મા અને સિલેક્ટર્સનું ટેન્શન વધી રહ્યું છે.
ફેન્સનો ગુસ્સો સહન કરી રહ્યા છે હાર્દિક
જ્યારથી હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનાવવામાં આવ્યા છે ત્યારથી ફેન્સના ગુસ્સાનો તેઓ સામનો કરી રહ્યા છે. 2024 આઈપીએસમાં પંડ્યાએ દરેક મેચના સમયે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બન્યા છે. દિલ્હી કેપિટલ્સની સાથે રમાયેલી મેચમાં પણ ફેન્સે તેમને ટ્રોલ કર્યા હતા.