• RCBએ પંજાબ કિંગ્સને 60 રને હરાવ્યું
  • પંજાબ કિંગ્સ પોઇન્ટ્સ ટેબલ પર 8માં ક્રમે
  • પ્લેઓફની રેસમાંથી બહાર થયું પંજાબ

IPLની 58મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સ સામે મોટી જીત નોંધાવી હતી. ધર્મશાલામાં રમાયેલી મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ આરસીબીની આશા જીવંત છે. આરસીબીની આ સતત ચોથી જીત છે. આ હાર બાદ પંજાબ કિંગ્સનું પ્લેઓફમાં જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. પંજાબ કિંગ્સની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે.

આ રીતે તે બહાર થયું પંજાબ

વાસ્તવમાં પંજાબ કિંગ્સની ટીમ 12માંથી 8 મેચ હારી છે. ટીમ હવે 8 પોઈન્ટ અને -0.423ના નેટ રન રેટ સાથે 9મા સ્થાને પહોંચી ગઈ છે. પંજાબ કિંગ્સ પાસે હવે માત્ર બે મેચ બાકી છે. જેમાં તે જીત બાદ મહત્તમ 12 પોઈન્ટ જ બનાવી શકે છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પહેલાથી જ 12 પોઈન્ટ સાથે હાજર છે. દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે 14 મેના રોજ મેચ રમાનાર છે. જેમાંથી એક ટીમ જીતશે તો તેને 14 પોઈન્ટ મળશે. આ રીતે પંજાબ કિંગ્સ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે.



  • Follow us on: