- મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવ્યો
- રોહિત અંગે ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ મોન્ટી પાનેસરનું નિવેદન
- મોન્ટી પાનેસરએ ક્હ્યું રોહિત RCBને ટ્રોફી અપાવી શકે
IPL 2024ની શરૂઆતના ગણતરીના દિવસો જ બાકી છે અને હવેથી થોડા દિવસોમાં ક્રિકેટનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થશે અને આ સિઝન ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ સિઝન પછી મેગા ઓક્શન થવાની છે અને આગામી સિઝન પહેલા ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાઈ શકે છે. આગામી સિઝનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળવાના છે. રોહિત શર્મા બેટ્સમેન તરીકે રમવા જઈ રહ્યો છે અને 11 વર્ષ પછી મુંબઈ બીજા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. હાર્દિક પંડ્યાને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ ઘણી ચર્ચાઓ થઈ હતી.
રોહિતને કેપ્ટન પદેથી હટાવ્યો
એવા પણ અહેવાલ હતા કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ છે કે ભારતીય કેપ્ટન આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ રમશે. પરંતુ હવે આગામી સિઝનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રોહિત આગામી સિઝનમાં કઈ ટીમ સાથે જોડાઈ શકે છે અને કોના માટે તે સુકાની કરી શકે છે તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. થોડા દિવસો પહેલા, અંબાતી રાયડુએ એક નિવેદન આપ્યું હતું જેમાં તે CSK જવાની સંભાવના વ્યક્ત કરી હતી. હવે ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ મોન્ટી પાનેસરે પણ નિવેદન આપ્યું છે.
મોન્ટી પાનેસરે શું કહ્યું?
પાનેસરનું માનવું છે કે રોહિત RCB માટે ટ્રોફીના દુકાળને ખતમ કરી શકે છે. જ્યારે મોન્ટી પાનેસરને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'બિલકુલ વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી કમાલ કરી શકે છે. એક કેપ્ટન તરીકે રોહિત જાણે છે કે તે વિરાટમાંથી શ્રેષ્ઠ ક્રિકેટ કેવી રીતે બહાર લાવી શકે છે. RCB પાસે બધું છે, વિરાટ છે પણ ટીમ પાસે IPL ટાઇટલ નથી. તેથી વિરાટ ટાઈટલ જીતવા ઈચ્છશે.
રોહિત એક ખેલાડી તરીકે રમશે
પાનેસરે પણ રાયડુના મુદ્દાને પુનરાવર્તિત કર્યો અને રોહિતના CSK જવાની સંભાવના પર સ્પષ્ટપણે જણાવ્યું. તેણે કહ્યું કે આવતા વર્ષે IPLમાં મેગા ઓક્શન છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ રોહિતની છેલ્લી સિઝન અને CSK માટે ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. આવી સ્થિતિમાં રોહિત CSKની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. નોંધનીય છે કે લાંબા સમય બાદ રોહિત એક દાયકાથી વધુ સમય બાદ માત્ર એક ખેલાડી તરીકે IPLમાં પ્રવેશ કરશે તેવું જોવા મળશે.