• IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું નિરાશાજનક રહ્યું
  • MIએ તેની છેલ્લી 3 મેચોમાં સૂર્યકુમાર યાદવને ખૂબ મિસ કર્યો
  • T20માં નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ લીગમાં વાપસી કરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું નિરાશાજનક રહ્યું છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ટીમે અત્યાર સુધી રમાયેલી તમામ 3 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. MIએ તેની છેલ્લી 3 મેચોમાં સૂર્યકુમાર યાદવને ખૂબ મિસ કર્યો છે. જો કે ચોથી મેચ પહેલા MI માટે સારા સમાચાર સામે આવ્યા છે. T20માં નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ લીગમાં વાપસી કરી રહ્યો છે.

મુંબઈ માટે સૂર્યા કેમ મહત્વપૂર્ણ છે?

સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સની કરોડરજ્જુ છે. તેની ગેરહાજરીમાં MIનો મિડલ ઓર્ડર ઘણો નબળો દેખાઈ રહ્યો છે. ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા અને ઈશાન કિશન બાદ નમન ધીર, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા અને ટિમ ડેવિડ બેટિંગ કરવા આવી રહ્યા છે. સૂર્યાના વાપસીથી ટીમનો મિડલ ઓર્ડર ઘણો મજબૂત બનશે. મિડલ ઓર્ડરમાં ઝડપી રન બનાવવા ઉપરાંત તે સાવચેતીપૂર્વક બેટિંગ કરવામાં પણ સક્ષમ છે. તે સંજોગો પ્રમાણે પોતાની જાતને અનુકૂળ કરી શકે છે. તેની પાસે IPLમાં 139 મેચનો અનુભવ છે. સ્કાય તેના વિચિત્ર શોર્ટથી બોલરોની યોજનાને બગાડે છે.


IPLમાં સૂર્યાનું પ્રદર્શન

લીગમાં સૂર્યાના પ્રદર્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધી રમાયેલી 139 મેચોમાં 32.17ની એવરેજ અને 143.32ની સ્ટ્રાઈક રેટથી 3249 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 21 અડધી સદી અને 1 સદી ફટકારી છે. IPLમાં સૂર્યકુમાર યાદવનો સર્વોચ્ચ સ્કોર અણનમ 103 રન છે. ગત સિઝનમાં પણ સ્કાયના બેટમાં આગ લાગી હતી. IPL 2023માં, સૂર્યકુમારે 43.21ની એવરેજ અને 181.14ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 605 રન બનાવ્યા હતા. ગત સિઝનમાં સ્કાયએ 5 અડધી સદી અને 1 સદી ફટકારી હતી.

DC સામે કરી શકે છે વાપસી

એક અહેવાલ મુજબ સૂર્યા 4 એપ્રિલે MI સાથે જોડાશે. અત્યાર સુધી તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પુનર્વસન હેઠળ હતો. હવે તે કમબેક કરવા માટે તૈયાર છે. મુંબઈ ઈન્ડિયન્સ તેની આગામી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં સૂર્યકુમાર યાદવની વાપસી થઈ શકે છે. સૂર્યકુમાર યાદવના સ્વાસ્થ્ય અંગે ફ્રેન્ચાઈઝી દ્વારા હજુ સુધી કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.

  • Follow us on: