IPL 2025નો મેગા ઓક્શન ધમાકેદાર થવા જઈ રહ્યો છે. નવેમ્બરમાં તેનું આયોજન થવાની પૂરી શક્યતા છે. આ મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના કેટલાક ખેલાડીઓને રિટેન કરવા પડશે અને બાકીના ખેલાડીઓને છોડવા પડશે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોઈ ખાસ ખેલાડી ટીમ છોડીને કોઈ અન્ય ટીમમાં સામેલ થઈ શકે છે. આ પહેલા સૂર્યકુમાર યાદવ અને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ટીમ છોડવાના સમાચાર હતા. જો આવું થાય છે તો મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે તે મોટો ઝટકો હોઈ શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ગત સિઝનથી વિવાદોમાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો 2023ની IPL સિઝન સુધી MIની કેપ્ટનશીપ સંભાળનાર રોહિત શર્માએ ટીમ છોડવાનો નિર્ણય કરી લીધો છે. આ બાબતની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. મિડલ ઓર્ડરને મજબૂત બનાવનાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઈને પણ રિપોર્ટ છે કે તે ટીમને છોડી શકે છે. હવે આ 2 ખેલાડીઓ બાદ વધુ એક મોટા ખેલાડીનું નામ સામે આવ્યું છે.













