• ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા
  • કેએલ રાહુલની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ
  • IPL 2025માં ગંભીરના પગલે ચાલી શકે છે રાહુલ

ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા છે. હવે કેએલ રાહુલ પણ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. જો KL રાહુલ અને ગૌતમ ગંભીર IPL 2025ને લઈને સમાન રણનીતિ અપનાવતા જોવા મળે તો નવાઈ નહીં. એવા અહેવાલ છે કે ગૌતમ ગંભીરની જેમ કેએલ રાહુલ પણ લખનૌ સુપર જાયન્ટ્સ છોડી શકે છે. અહેવાલ છે કે IPL 2025 માટે કેએલ રાહુલનો સંપૂર્ણ પ્લાન તૈયાર છે. આ યોજના LSG છોડીને આરસીબી તરફ જવા સાથે સંબંધિત છે. એટલું જ નહીં કેએલ રાહુલની નજર RCBની કેપ્ટનશિપ પર પણ છે.

ગંભીર LSG છોડીને KKR સાથે જોડાયો હતો

IPL 2024 પહેલા ગૌતમ ગંભીરે લખનૌ સુપર જાયન્ટ્સ સાથેનો કરાર પણ સમાપ્ત કરી દીધો હતો. LSG છોડીને, IPL 2024 પહેલા, ગૌતમ ગંભીર તેની જૂની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જોડાયો. ગંભીરને KKRમાં IPL 2024 માટે ગંભીર માર્ગદર્શક બનાવવામાં આવ્યો હતો.

IPL 2025 પહેલા રાહુલ છોડશે LSG!

હવે IPL 2025 પહેલા જો ગૌતમ ગંભીરની જેમ જ KL રાહુલ પણ લખનૌ સુપર જાયન્ટ્સ સાથેની 3 વર્ષની સફર પૂરી કરે તો નવાઈ નહીં. એવા અહેવાલો છે કે કેએલ રાહુલ LSG સાથેનો કરાર સમાપ્ત કરી શકે છે અને આરસીબીમાં જોડાઈ શકે છે. રાહુલ આ પહેલા પણ RCB તરફથી રમી ચૂક્યો છે. તે IPL 2025માં RCB સાથે કેપ્ટન તરીકે જોડાય તેવી શક્યતા છે. મતલબ કે તે ફાફ ડુપ્લેસીસના સ્થાને જોવા મળી શકે છે.

કેએલ રાહુલે IPL 2024માં 520 રન બનાવ્યા

કેપ્ટન તરીકે KL રાહુલે LSG માટે IPL 2024 ની 14 મેચોમાં 136 થી વધુની સ્ટ્રાઈક રેટ અને 4 અડધી સદી સાથે 520 રન બનાવ્યા હતા. આ ફ્રેન્ચાઇઝી માટે તેનું સર્વશ્રેષ્ઠ વર્ષ 2022 રહ્યું છે, જ્યાં તેણે 15 મેચોમાં 135થી વધુના સ્ટ્રાઇક રેટથી 616 રન બનાવ્યા છે. આ દરમિયાન રાહુલે 2 સદી અને 4 અડધી સદી ફટકારી હતી.

  • Follow us on: