• કેએલ રાહુલ જલ્દી કેપ્ટનશીપ છોડશેઃ રિપોર્ટ્સ
  • કેએલ રાહુલને બદલે નિકોલસ પૂરનના નામની ચર્ચા
  • કેપ્ટન હટાવવાનો કોઈ પ્લાન નહીંઃ લખનૌ ટીમ અધિકારી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ સતત હારતી જોવા મળી રહી છે. બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌની સામે 166 રનનો ટાર્ગેટ એક પણ વિકેટના નુકસાન વિના 9.4 ઓવરમાં મેળવી લીધો હતો.

કેએલ રાહુલને કેપ્ટનશીપને લઈને ગરમાયો માહોલ

આ પછી સતત કેએલ રાહુલની કેપ્ટનશીપ પર પ્રશ્નો જોવા મળી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ શર્મનાક હાર બાદ કેએલ રાહુલ કેપ્ટનશીપ છોડી દેશે. અન્ય મેચ માટે નિકોલસ પૂરનને કેપ્ટનશીપ સોંપાઈ શકે છે. પરંતુ આ તમામ રિપોર્ટને લખનૌની ટીમ મેનેજમેન્ટે એક સીનિયર અધિકારીને ખોટા ઠેરવ્યા છે. તેઓએ કહ્યું કે અમે આ સમયે કેપ્ટનને હટાવવાનું જરા પણ વિચારી રહ્યા નથી. અમારી પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાનો ચાન્સ છે. તેની પર જ અમારું ફોકસ છે.

કેપ્ટનશીપમાં ફેરફારનો કોઈ સવાલ નથી

અધિકારીએ કહ્યું કે શા માટે અમે તેમને કેપ્ટન પદેથી હટાવવાનું કહીશું અને એવું કરવાની જરૂર શું છે. અમે અમારી આવનારી મેચને વિશે વિચારી રહ્યા છીએ. કેપ્ટનશીપમાં ફેરફાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેઓએ કહ્યું કે અનેક ટીમ તો 10 અને 9 નંબર પર છે પણ તે પણ કેપ્ટનશીપમાં ફેરફારને વિશે વિચારી રહ્યા નથી. તો પછી અમે કેમ વિચારીએ. અમારી પાસે હજુ પ્લેઓફનો ચાન્સ છે કેમકે અમે છઠ્ઠા નંબર પર છીએ. દરેક ટીમનો ખરાબ સમય હોય છે કે કેપ્ટનશીપ ખરાબ હોઈ શકે છે. એનો અર્થ એવો નથી કે તેમાં ફેરફાર કરી દેવામાં આવે.

રિપોર્ટમાં દાવો થયો છે કે રાહુલ કેપ્ટનશીપ છોડશે

હાલમાં આઈપીએલની તરફથી સૂત્રો દ્વારા મળી રહેલી માહિતિ અનુસાર દિલ્હી કેપિટલ્સની સામે આવનારી મેચ પહેલા 5 દિવસનો બ્રેક છે. જો કે તેને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. રાહુલ અન્ય 2 મેચમાં ફક્ત પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવે છે તો મેનેજમેન્ટને કોઈ તકલીફ નહીં થાય. તેઓએ કહ્યું કે આવનારી મેચ પહેલા રાહુલ કેપ્ટનશીપ છોડી શકે છે. કેએલ રાહુલ 17 કરોડ રૂપિયાના કરારની સાથે 2022ની સીઝનમાં લખનઉ ટીમની સાથે જોડાયેલા હતા. આ ટીમની પહેલી સીઝન હતી. જો કે રિપોર્ટમાં દાવો કરાયો છે કે 2025માં થનારી આઈપીએલના મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝી કેએલ રાહુલને રીલિઝ કરી શકે છે.

LSGના માલિક પણ નારાજ જોવા મળ્યા

લખનૌની સામે બુધવારે મેચમાં સનરાઈઝર્સના ઓપનર્સ ટ્રેવિસ હેડે 30 બોલમાં નાબાદ રહીને 89 રન બનાવ્યા અને અભિષેક શર્માએ 28 બોલમાં નાબાદ 75 રન બનાવ્યા હતા. તેના દમ પર 58 બોલ પર 166 રનનો ટાર્ગેટને મેળવ્યો છે. આ હાર બાદ લખનૌ ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોયન્કાની રાહુલની સાથે નારાજગીમાં વાત કરવાનો વીડિયો પણ વાયરલ થયો છે. 

  • Follow us on: