ઝારખંડ હાઈકોર્ટે એક કેસમાં એમએસ ધોનીને નોટિસ આપી છે. IPL 2025 પહેલા જસ્ટિસ એસકે દ્વિવેદીની બેંચે છેતરપિંડીના કેસની સુનાવણી કરતા પૂર્વ કેપ્ટનને નોટિસ જારી કરી છે. મંગળવારે કોર્ટે એમએસ ધોનીના પૂર્વ સહયોગી મિહિર દિવાકરની અરજી પર સુનાવણી કરી હતી. હવે કોર્ટે એમએસ ધોનીને પોતાનો પક્ષ રજૂ કરવા સૂચના આપી છે.
એમએસ ધોનીએ દાખલ કરી હતી અરજી
ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી એમએસ ધોનીએ 15 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં મિહિર વિરુદ્ધ રાંચી હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. આ મામલામાં ધોનીએ મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા બિસ્વાસ અને અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વિરુદ્ધ અરજી કરી હતી.
ધોનીને હાઈર્કોર્ટે મોકલી નોટિસ
એમએસ ધોની અને મિહિર દિવાકર વચ્ચે વિશ્વભરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે કરાર થયો હતો. વર્ષ 2017માં ધોનીએ મિહિર સાથે કરાર કર્યો હતો. પરંતુ દિવાકરે કરારમાં આપેલા નિયમોનું પાલન કર્યું ન હતું. એમએસ ધોનીએ કહ્યું હતું કે વર્ષ 2021માં તેના અધિકારો રદ થયા છતાં તેના નામનો ઉપયોગ કરીને એકેડેમી ખોલવાની પ્રક્રિયા ચાલુ રહી. જેના કારણે ધોનીને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
જેના જવાબમાં દિવાકર અને દાસે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, હવે કોર્ટે ધોનીને નોટિસ મોકલીને તેને આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવ્યો છે.
IPL 2025ની તૈયારી કરી રહ્યો છે MS ધોની
માહી IPL 2025 માં ભાગ લેવા માટે તેની તૈયારી કરી રહ્યો છે. CSKએ તેને IPL 2025માં 4 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. ખાસ વાત એ છે કે ફ્રેન્ચાઇઝીએ તેને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખ્યો છે. ધોની ઉપરાંત રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે અને રૂતુરાજ ગાયકવાડનો પણ રિટેન્શન લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.