- બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 2 મેચની ટેસ્ટ મેચ રમવાની છે
- બાંગ્લાદેશનો આગામી પાકિસ્તાન પ્રવાસ ખતરામાં છે
- દેશમાં ખરાબ પરિસ્થિતિને કારણે પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ થઈ શકે
બાંગ્લાદેશનો આગામી પાકિસ્તાન પ્રવાસ ખતરામાં છે. દેશમાં ખરાબ પરિસ્થિતિને કારણે બાંગ્લાદેશનો પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ થઈ શકે છે. બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાન પ્રવાસ પર 2 ટેસ્ટ મેચ રમવાની છે જે 21 ઓગસ્ટથી શરૂ થવાની છે પરંતુ પૂર્વ પીએમ શેખ હસીનાના રાજીનામા અને દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. બાંગ્લાદેશને 21 ઓગસ્ટથી રાવલપિંડીમાં પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટ મેચ અને 30 ઓગસ્ટથી બીજી ટેસ્ટ મેચ રમવાની છે, પરંતુ દેશમાં કટોકટીની સ્થિતિ સર્જાયા બાદ બાંગ્લાદેશ ટીમનો પાકિસ્તાન પ્રવાસ ખતરામાં છે.
બાંગ્લાદેશનો પાકિસ્તાન પ્રવાસ ખતરામાં છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાંગ્લાદેશની પરિસ્થિતિથી વાકેફ છે અને તેથી જ તેણે બાંગ્લાદેશની ટીમને વહેલી તકે રાવલપિંડી આવવાની ઓફર કરી છે જેથી સિરીઝ નિયમિત સમય પર રમી શકાય. "PCBએ બાંગ્લાદેશને વધુ હોસ્ટિંગ દિવસો અને તમામ તાલીમ સુવિધાઓની ઓફર કરી છે પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી,"
બાંગ્લાદેશ A ટીમ પણ પ્રવાસ પર ખતરામાં
સિનિયર ટીમ ઉપરાંત બાંગ્લાદેશ 'A' ટીમના પાકિસ્તાન પ્રવાસ પર પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન મોમિનુલ હક પાકિસ્તાન (A) સામેની સિરીઝમાં બાંગ્લાદેશ 'A' તરફથી રમવાનો હતો. આ ઘટનાક્રમથી વાકેફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક સૂત્રએ જણાવ્યું હતું કે PCB એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને તેમની ટેસ્ટ ટીમને શક્ય તેટલી વહેલી તકે રાવલપિંડી લાવવાનો પ્રસ્તાવ આપ્યો છે જેથી સિરીઝનું આયોજન કરી શકાય.
PCBના સૂત્રએ કહ્યું કે બોર્ડ ટેસ્ટ સિરીઝના આયોજનને લઈને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સંપર્કમાં છે પરંતુ આવા મુશ્કેલ વાતાવરણમાં સંપર્ક જાળવી રાખવો ખૂબ મુશ્કેલ છે. વધુમાં કહ્યું, "બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હુસૈન પણ દેશ છોડવાની તૈયારી કરી રહ્યા છે, જે દર્શાવે છે કે બોર્ડ પણ સામાન્ય રીતે કામ કરવામાં અસમર્થ છે."