• IPLની 8મી મુબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાશે
  • રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • સૂર્યકુમાર યાદવ હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી

IPL 2024ની 8મી મેચમાં બુધવારે મુંબઈ ઈન્ડિયન્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. મેચ પહેલા MI માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. આવી સ્થિતિમાં તે બુધવારે યોજાનારી મેચમાંથી બહાર થઈ શકે છે.

NCA તરફથી ગ્રીન સિગ્નલ મળ્યું નથી

સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવ હજુ સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. તેને હજુ સુધી IPL રમવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી. આવી સ્થિતિમાં તે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાંથી બહાર થઈ શકે છે. ઈજાના કારણે સૂર્યા ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ મેચ પણ રમી શક્યો ન હતો. આ મેચમાં MIને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. સૂર્યકુમારની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સનો મિડલ ઓર્ડર ઘણો નબળો લાગે છે. મિડલ ઓર્ડરમાં અનુભવનો અભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સૂર્ય આ ટીમનો કરોડરજ્જુ છે.

જર્મનીમાં સર્જરી કરાવી હતી

સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાની T20 ટીમની કપ્તાની સંભાળી હતી. આ સિરીઝ દરમિયાન સૂર્યકુમાર ઈજાગ્રસ્ત થયો હતો. તેના પગની ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પછી તે અફઘાનિસ્તાન સામેની સીરિઝ પણ રમી શક્યો ન હતો. ત્યારબાદ તેની જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નીયામાં સર્જરી થઈ હતી. આવી સ્થિતિમાં, તે ત્યારે જ IPLમાં રમતા જોવા મળશે જ્યારે તેને NCA તરફથી મંજૂરી મળશે. આ પહેલા 19 માર્ચે પણ સૂર્યાનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો.

IPLમાં સૂર્યકુમારનું પ્રદર્શન

IPLમાં સૂર્યકુમાર યાદવના પ્રદર્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધી રમાયેલી 139 મેચોમાં 3,249 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 32.17 હતી અને સ્ટ્રાઈક રેટ 143.32 હતો. સૂર્યાએ લીગમાં 21 ફિફ્ટી અને 1 સદી ફટકારી છે. ગત સિઝનમાં સૂર્યાએ બેટ વડે કમાલ કરી હતી. તેણે 16 ઇનિંગ્સમાં 181થી વધુના સ્ટ્રાઇક રેટથી 605 રન બનાવ્યા હતા.

  • Follow us on: