- કોહલી અને રોહિત શર્માને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બ્રેક આપવામાં આવ્યો છે: દ્રવિડ
- BCCIની નવી નીતિ અનુસાર NCA આ વર્ષની IPL દરમિયાન ખેલાડીઓના વર્કલોડ પર નજર રાખશે
- IPLમાં સિનિયર્સ ભાગ લેશેઃ રાહુલ દ્રવિડ, હેડ કોચ
ટીમ ઈન્ડિયાને વનડે સીરીઝ સમાપ્ત થયા બાદ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચ પણ રમવાની છે. સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને ટી-20 સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી અને હાર્દિક પંડ્યાને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાંથી ભારત સેમિફાઇનલમાંથી બહાર થયું ત્યારથી જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલની T20 કારકિર્દી પર સવાલો ઉઠી રહ્યા છે. જો જોવામાં આવે તો T20 વર્લ્ડ કપ પછી ત્રણેય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં એક પણ મેચ રમ્યા નથી.
હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલી અને રોહિત શર્માના T20 ટીમમાં ન હોવા અંગે મોટું નિવેદન આપ્યું છે. દ્રવિડે કહ્યું કે કોહલી અને રોહિત શર્માને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બ્રેક આપવામાં આવ્યો છે. દ્રવિડનું માનવું છે કે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ અને વનડે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ છે, આવી સ્થિતિમાં ખેલાડીઓ માટે વર્કલોડ મહત્વપૂર્ણ છે. BCCIની નવી નીતિ અનુસાર નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) આ વર્ષની IPL દરમિયાન ખેલાડીઓના વર્કલોડ પર નજર રાખશે.
દ્રવિડે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડે પહેલા કહ્યું, 'વર્કલોડ મેનેજમેન્ટ આજે રમતનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. અમે આ બાબતોની સમીક્ષા કરતા રહીએ છીએ. અમે ખેલાડીઓ (રોહિત, વિરાટ, કેએલ રાહુલ) ને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ટી20 સિરીઝ માટે બ્રેક આપ્યો હતો. ઈન્જરી મેનેજમેન્ટ અને વર્કલોડ મેનેજમેન્ટ બે અલગ વસ્તુઓ છે. આપણે જેટલુ ક્રિકેટ રમી રહ્યા છીએ તે જોતા બંને વચ્ચે સંતુલન હોવું જોઈએ કે નજીકના ભવિષ્યમાં આપણા માટે પ્રાથમિકતા શું છે. આ ઉપરાંત તે સુનિશ્ચિત કરવું પડશે કે અમારા મોટા ખેલાડીઓ મોટી ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ છે.
IPLમાં સિનિયર્સ ભાગ લેશેઃ દ્રવિડ
દ્રવિડે કહ્યું કે ODI વર્લ્ડ કપની યોજનામાં સામેલ ખેલાડીઓ IPLમાં રમશે કારણ કે તે તેમની T20 કુશળતાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે. દ્રવિડે કહ્યું, 'NCA અને અમારી મેડિકલ ટીમ IPLના મામલામાં ફ્રેન્ચાઈઝીના સતત સંપર્કમાં રહેશે અને જો કોઈ સમસ્યા કે ઈજા હશે તો અમે તેની સાથે રહીશું. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત હોય અથવા અન્ય કોઈ ચિંતા હોય તો મને લાગે છે કે BCCI પાસે તેને પડતો મૂકવાનો અધિકાર છે. પરંતુ જો તે ફિટ હશે તો અમે તેને આઈપીએલ માટે રિલીઝ રાખીશું કારણ કે તે એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે.
રાહુલ દ્રવિડનું માનવું છે કે આવતા મહિને ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ચાર મેચોની ખૂબ જ મહત્ત્વની ટેસ્ટ શ્રેણી પહેલા બે અઠવાડિયાના કેમ્પ પહેલા આ વિરામ જરૂરી છે. દ્રવિડે કહ્યું, 'તમારે એક નિશ્ચિત સમયમાં સફેદ બોલની કેટલીક ટૂર્નામેન્ટ રમવાની જરૂર છે. સંભવિત WTC ક્વોલિફિકેશન માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચાર મેચ રમવી મહત્વપૂર્ણ છે.
દ્રવિડે સ્પ્લિટ કેપ્ટનશીપનો ઇનકાર કર્યો હતો
ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે એ વાતને નકારી કાઢી છે કે તેમની ટીમ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટનની નીતિ અપનાવી રહી છે. રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ T20 ટીમનું સુકાન સંભાળ્યું હતું અને 2024માં T20 વર્લ્ડ કપમાં ભારતની કપ્તાનીનો પ્રબળ દાવેદાર છે.
દ્રવિડે કહ્યું કે મને આની માહિતી નથી. (વિવિધ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન). તમારે આ પ્રશ્ન પસંદગીકારોને પૂછવો જોઈએ, પરંતુ અત્યારે મને એવું નથી લાગતું. આ મહિનામાં દ્રવિડે પોતે કહ્યું હતું કે ભારતીય T20 ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને સંયમ રાખવાની જરૂર છે. બીજી તરફ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે તેમણે T20 ક્રિકેટમાં તેના ભવિષ્ય વિશે નિર્ણય કર્યો નથી અને IPL પછી તે આ અંગે કંઇક વિચારશે.