- ભારતીય ટીમ 4 જુલાઈએ ભારત પરત ફરશે
- મુંબઈ પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાની વિજય પરેડ કાઢવામાં આવશે
- રોહિત શર્માએ ફેન્સને ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશનમાં સામેલ થવા માટે મુંબઈ આવવા આમંત્રણ આપ્યું છે
ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ જીતીને પોતાના દેશ પરત ફરી રહી છે. વાવાઝોડાના કારણે ભારતીય ટીમ બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. ટીમ ટૂંક સમયમાં ત્યાંથી રવાના થશે અને 4 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચશે. આ પછી આખી ટીમ હોટલ પહોંચશે. ત્યારબાદ તે સવારે 9 વાગે પીએમ મોદીને મળવા જશે. તેમનું કાર્ય અહીં લગભગ 12 વાગ્યા સુધી ચાલશે.
આ પછી ટીમ હોટલ પહોંચશે અને પછી મુંબઈ જવા માટે સીધી એરપોર્ટ પહોંચશે. સાંજે 4 વાગ્યાની આસપાસ એરપોર્ટ પહોંચશે. મુંબઈ પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાની વિજય પરેડ કાઢવામાં આવશે. કેપ્ટન રોહિત શર્માએ એક પોસ્ટ દ્વારા ફેન્સને ખાસ વિનંતી કરી છે. કેપ્ટન રોહિતે એક્સ પર લખ્યું છે કે અમે તમારા બધા સાથે આ ખાસ પળનો આનંદ માણવા માંગીએ છીએ. ચાલો આ વિજયની ઉજવણી મરીન ડ્રાઈવ અને વાનખેડે ખાતે 4 જુલાઈના રોજ સાંજે 5:00 વાગ્યાથી વિજય પરેડ સાથે કરીએ.













