- T20 વર્લ્ડકપ 2024 શરૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી
- ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવા ઈચ્છે છે ભારતીય ટીમ
- ભારતીય ટીમને T20 વર્લ્ડકપ જીતવામાં આ 5 ખેલાડીઓ કરશે મદદ
T20 વર્લ્ડકપ 2024 ખૂબ નજીક છે. હવે ટુર્નામેન્ટ શરૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ટૂર્નામેન્ટ દ્વારા ફરી એકવાર ટીમ ઈન્ડિયા લાંબા સમયથી ચાલી રહેલા ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવા ઈચ્છે છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં 2022માં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાંથી બહાર થવું પડ્યું હતું. આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે આ વખતે ભારતીય ટીમને T20 વર્લ્ડકપનો ખિતાબ જીતવામાં કયા પાંચ ખેલાડીઓ મદદ કરી શકે છે.
વિરાટ કોહલી
1 જૂનથી રમાનાર ટી20 વર્લ્ડકપ 2024માં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે. આ પહેલા કોહલી 2022 T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. કોહલીએ ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી.
રોહિત શર્મા
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. રોહિત શર્મા ઓપનિંગ બેટિંગની જવાબદારી સંભાળશે. જો રોહિત શર્મા 2023માં રમાયેલા ODI વર્લ્ડકપની જેમ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત આપે છે તો તે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
જસપ્રીત બુમરાહ
બુમરાહ ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર હશે. બધાની નજર બુમરાહ પર રહેશે. પોતાની શાનદાર બોલિંગને કારણે બુમરાહ ટીમ ઈન્ડિયાને ખિતાબ જીતાડવામાં મહત્વનું યોગદાન આપી શકે છે.
સૂર્યકુમાર યાદવ
T20 ઈન્ટરનેશનલના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવમાં માત્ર થોડા જ બોલમાં રમત બદલવાની ક્ષમતા છે. જો સૂર્યા સારું ફોર્મ બતાવે છે તો ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થઈ શકે છે. સૂર્યાએ 2022 T20 વર્લ્ડકપમાં 239 રન બનાવ્યા હતા. તે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો.
કુલદીપ યાદવ
T20 વર્લ્ડકપ 2024માં કુલદીપ યાદવની સ્પિન ભારત માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. કુલદીપ મુખ્ય સ્પિનર તરીકે રમશે. કુલદીપનું સારું ફોર્મ ટીમ ઈન્ડિયાને ટ્રોફી જીતાડવામાં મહત્વનું યોગદાન આપી શકે છે.