• IPL 2024 માટે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો
  • મુંબઇની ટીમના ત્રણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા
  • આ ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ

માથું મુંડાવતા જ કરા પડ્યા... આ કહેવત હાર્દિક પંડ્યા માટે એકદમ બંધબેસે છે. IPL 2024 માટે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક કોઈપણ મેચમાં મુંબઈની કેપ્ટનશીપ કરી શકે તે પહેલા ટીમના ત્રણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ છે.

સૂર્યાની ઇન્સ્ટા સ્ટોરી

સૂર્યકુમાર યાદવે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર તૂટેલા હાર્ટની ઇમોજી શેર કરી, જે સૂચવે છે કે કંઈક ખોટું છે. થોડા સમય પછી સમાચાર આવ્યા કે ટી20 ક્રિકેટના મિસ્ટર 360 ડિગ્રી કહેવાતા સૂર્યા ફિટનેસ ક્લિયરન્સ મેળવી શક્યા નથી. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) એ આ ક્લીયરન્સ આપવાનું હતું.


શરૂઆતની મેચ નહીં રમે સૂર્યકુમાર

એક અહેવાલ મુજબ સૂર્યકુમાર યાદવને NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળી શક્યું નથી. સૂર્યાનો ફિટનેસ ટેસ્ટ હવે 21 માર્ચે લેવામાં આવશે. મતલબ કે હવે સૂર્યા મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ રમી શકશે નહીં. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2024માં તેની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે રમશે.


  • Follow us on: