- ભારત અને સાઉથ આફ્રિકા અંતિમ-4 માટે ફેવરિટ
- સુપર-12ના ગ્રૂપ-2મા આજે સેમિફાઇનલની બે ટીમો નિશ્ચિત થશે,
- બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનની ગણતરી બગાડે તેવી સંભાવના,
આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં છઠ્ઠી નવેમ્બરનો દિવસ તમામ ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે. રવિવારે ગ્રૂપ-2ના ત્રણ મુકાબલા રમાશે જેમાં પ્રથમ મુકાબલો સાઉથ આફ્રિકા વિ. નેધરલેન્ડ્સ, બીજો પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ અને ત્રીજો ભારત વિ. ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે. આ ત્રણેય મુકાબલા તમામ ટીમો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સેમિફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ચાર ટીમો મેદાનમાં ઊતરશે. સાઉથ આફ્રિકા જો નેધરલેન્ડ્સને હરાવશે તો તે સેમિફાઇનલ માટે સીધું ક્વોલિફાય કરશે. જો તેને પરાજય મળશે તો પાકિસ્તાન માટે અંતિમ-4મા પ્રવેશવાની તક રહેશે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વેને હરાવીને સુપર-12 રાઉન્ડના ગ્રૂપ-2મા ટોચના સ્થાને રહીને પોતાની લીગ મેચોની સફર પૂરી કરશે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ભારતને છેલ્લી મેચ રમવાની છે તેથી તે રનરેટની ગણતરીને ધ્યાનમાં રાખીને પણ ગેમપ્લાન તૈયાર કરી શકશે. જોકે રોહિત અને તેની ટીમ જો અને તોની સ્થિતિમાં પ્રવેશવાના બદલે વિજય મેળવીને સીધું ક્વોલિફાય કરવા માટે મેદાનમાં ઊતરશે.
સાઉથ આફ્રિકા વિ. નેધરલેન્ડ્સ













