- પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી હતી
- 100 ગ્રામથી વધુ વજન હોવાને કારણે અયોગ્ય ઠેરવવામાં આવી હતી
- વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાંથી બહાર થવા પર તોડ્યું મૌન
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ કારણે તેમનું અને કરોડો ભારતીયોનું સપનું ચકનાચૂર થઈ ગયું. ફોગાટના વજનમાં 100 ગ્રામનો વધારો થયો છે. આ કારણે તે નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરી શકી નથી. હવે તે મેડલ લીધા વિના પેરિસથી પરત ફરશે. આ ઘટના બાદ વિનેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડીહાઈડ્રેશનના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. વિનેશ ફોગાટના મામલાને લઈને વિવાદ સર્જાયો છે. વિપક્ષે પણ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક તેને ષડયંત્ર ગણાવી રહ્યા છે તો કેટલાક તેને બેદરકારી ગણાવી રહ્યા છે. હવે વિનેશ ફોગટે પોતે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.
તે રમતનો એક ભાગ છે













