• વિરાટ કોહલીએ ચેન્નાઈ સામેની મેચમાં રચ્યો ઈતિહાસ
  • એક મેદાન પર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
  • તેણે ચિન્નાસ્વામીના 3 હજારથી વધુ રન બનાવ્યા છે

કિંગ કોહલીના નામથી પ્રખ્યાત સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી દરરોજ પોતાની કારકિર્દીમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે. તેણે શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આમાંથી એક રેકોર્ડ એવો છે કે IPLમાં અત્યાર સુધી કોઈ બેટ્સમેન તેને હાંસલ કરી શક્યો નથી.

વિરાટ કોહલીનો ચિન્નાસ્વામીમાં રેકોર્ડ

વિરાટ કોહલી એક મેદાન પર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ચિન્નાસ્વામીના 3 હજારથી વધુ રન બનાવ્યા છે. કોહલી બાદ આ લિસ્ટમાં રોહિત શર્માનું નામ છે. જેણે વાનખેડેમાં 2295 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાને એબી ડી વિલિયર્સ છે. એબી ચિન્નાસ્વામીએ 1960 રન બનાવ્યા છે.

શિખર ધવન પછી બીજો બેટ્સમેન

આ સાથે વિરાટ કોહલી વધુ એક એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. IPLમાં 700 ચોગ્ગા મારનાર તે બીજો બેટ્સમેન બન્યો છે. વિરાટે શાર્દુલ ઠાકુર સામે બીજી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે તે આ ક્લબમાં જોડાયો. વિરાટે પોતાની 243મી ઇનિંગમાં આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. જ્યારે ધવને 221 ઇનિંગ્સમાં 768 ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્માએ 599 ચોગ્ગા ફટકાર્યા છે.

  • Follow us on: