ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતને 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. કિવી ટીમ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પર સવાલો ઉઠી રહ્યા છે. આ સિરીઝમાં તેના બેટમાંથી એક પણ રન નહોતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી કૃષ્ણમાચારી શ્રીકાંતે રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે.


ટેસ્ટ ક્રિકેટમાં ફ્લોપ થઈ રહ્યો છે રોહિત શર્મા

તાજેતરના સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેણે છેલ્લી 10 ઇનિંગ્સમાં 13.30ની એવરેજથી માત્ર 133 રન બનાવ્યા છે. આ વખતે ટીમ ઇન્ડિયા માટે WTC ફાઇનલમાં પહોંચવું પણ મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે WTC ફાઈનલ મેચ રમી હતી. જો ટીમ ઈન્ડિયાને WTC ફાઇનલમાં સ્થાન બનાવવું હોય તો તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 4 મેચ જીતવી પડશે. પરંતુ આ સિરીઝ પહેલા રોહિત શર્માનું ફોર્મ ચિંતાનો વિષય છે.

કૃષ્ણમાચારી શ્રીકાંતે રોહિતને લઈને મોટું નિવેદન આપ્યું

1983 વર્લ્ડ કપ વિજેતા સ્ટાર કૃષ્ણમાચારી શ્રીકાંતનું માનવું છે કે, રોહિતની ઉંમર વધી રહી છે અને જો તે ઓસ્ટ્રેલિયામાં તેની લય શોધવામાં સફળ નહીં થાય તો તે પોતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે. પોતાના યુટ્યુબ શોમાં તેણે રોહિત શર્મા વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, “ટીમ ઈન્ડિયાએ હવે આગળની યોજના બનાવવી પડશે. જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં સારો દેખાવ નહીં કરે તો મને લાગે છે કે તે પોતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. તે માત્ર વનડે રમશે. તે પહેલા જ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી ચૂક્યો છે. આપણે ધ્યાનમાં રાખવું પડશે કે તેમની ઉંમર પણ વધી રહી છે. તે હવે જવાન નથી.”

રોહિતના વખાણમાં આ કહ્યું

ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, તે તેની બેટિંગથી પણ નિરાશ છે. આ અંગે કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું કે, “રોહિત શર્માએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, આ મોટી વાત છે. તેણે સ્વીકાર્યું છે કે, તે સિરીઝમાં બેટ્સમેન અને કેપ્ટન તરીકે ફ્લોપ રહ્યો છે. તમારી ભૂલ સ્વીકારવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે તે હવે પોતાને સુધારશે.

  • Follow us on: