- CSKએ MS ધોની પાસેથી કેપ્ટનશિપ લઇ ગાયકવાડને સોંપી
- મહેન્દ્ર સિંહ ધોની માટે IPL 2024 છેલ્લી સિઝન
- શું ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવો CSKની મોટી ભૂલ?
IPL 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે MS ધોની પાસેથી કેપ્ટનશિપ છીનવીને મોટો નિર્ણય લીધો છે. CSKનો આ નિર્ણય સવાલોના ઘેરામાં છે. ધોનીને કેપ્ટનશિપ પરથી હટાવવાને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા પણ તેજ થઈ ગઈ છે કે મહેન્દ્ર સિંહ ધોની માટે IPL 2024 છેલ્લી સિઝન હોઈ શકે છે. આ જ કારણ છે કે ખેલાડી પાસેથી કેપ્ટન્સી છીનવી લેવામાં આવી હતી, જેથી ચેન્નાઈની ટીમ ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં રમવાની ટેવ પાડી શકે. બીજી તરફ, ચાહકો વાત કરી રહ્યા છે કે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવો CSKની ભૂલ છે. શા માટે CSKના નિર્ણયને ભૂલ કહેવામાં આવી રહી છે.
ચેન્નાઈની આ ચાલ મોંઘી સાબિત થઈ
તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પર આ સટ્ટો રમ્યો હતો. પરંતુ જાડેજાના નેતૃત્વમાં ટીમ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી. આ કારણથી ખેલાડીએ પોતાની જાતે જ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે શું ચેન્નાઈ માટે MS ધોની પાસેથી કેપ્ટનશીપ છીનવીને ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવી એ મોટી ભૂલ હોઈ શકે છે. ટૂર્નામેન્ટ શરૂ થયા બાદ જ ખબર પડશે કે ચેન્નાઈએ ગાયકવાડને આ જવાબદારી સોંપીને સાચું કર્યું કે ખોટું.
શું ધોની માટે આ છેલ્લી સિઝન છે?
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024 પહેલા મહેન્દ્ર સિંહ ધોની પાસેથી કેપ્ટનશીપ છીનવીને ઘણા સંકેતો આપ્યા છે. ધોનીની નિવૃત્તિના સમાચાર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. ધોની વિશે છેલ્લા 2-3 વર્ષથી ચર્ચા ચાલી રહી છે કે આ તેની છેલ્લી સિઝન હોઈ શકે છે, પરંતુ ધોની હજુ પણ IPL રમતા જોવા મળે છે. પરંતુ હવે સુકાનીપદ છીનવીને ચેન્નાઈની ટીમે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે IPL 2024 ધોની માટે છેલ્લી સિઝન હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર ચાહકોમાં આ અંગેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. ધોની IPL 2024 પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ CSKનો નિર્ણય આ દિશામાં ઈશારો કરી રહ્યો છે.