• આવતીકાલે વર્લ્ડકપની હાઈ વોલ્ટેજ મેચ રમાશે
  • ભારત અને પાકિસ્તાનની ટીમ આવશે આમને-સામને
  • ભારતીય ફેન્સે BCCIની કરી ટીકા

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોમાંચક મેચ રાશે. આ મેચ પહેલાં આજે BCCIએ ટ્વીટર પર જાહેરાત કરી કે, અરિજિત સિંહ, શંકર મહાદેવન અને સુખવિંદર સિંહ પ્રદર્શન કરશે. ક્રિકેટ બોર્ડના ટ્વીટ પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકો આ જાહેરાત બાદ ટીકા કરીને આ પ્રદર્શનને નાટક પણ કહી રહ્યા છે.


BCCIએ શું ટ્વીટ કર્યું

BCCIના ટ્વીટ પર નજર કરવામાં આવે તો, BCCIએ ટ્વીટમાં લખ્યું હતું કે, અરિજિત સિંહ, શંકર મહાદેવન અને સુખવિંદર સિંહ 14 ઓક્ટોબરે બપોરે 12:30 વાગ્યે લાઈવ પ્રદર્શન કરશે.


ટીકાકારોએ શું કહ્યું?

ટીકાકારોએ ટ્વીચ કર્યું કે, માત્ર ભારત અને પાકિસ્તાન મેચમાં પ્રદર્શન એ અન્ય ટીમની ભાગીદારીને અવગણે છે. અન્ય લોકોએ કહ્યું કે, આ શોની કાંઈ જરૂર નથી. કારણ કે, 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડકપ 2023ની ઉદ્ઘાટન મેચમાં કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નહતું.

  • Follow us on: