• T-20માં પંતના ખરાબ ફોર્મને કારણે વનડે ટીમમાંથી પડતો મૂકવાનું કહી રહ્યા છે
  • દિનેશ કાર્તિકે પંતના ટીકાકારોને બે બાબતોને અલગથી જોવાનું કહ્યું
  • કાર્તિકે પંતને 50 ઓવરના ફોર્મેટ મામલે સમર્થન આપવાનું કહ્યું

ભારતના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને લિમિટેડ ઓવરની ક્રિકેટમાં પોતાના ફોર્મને લઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. જ્યારે પંત માટે તાજેતરની મેચો પણ કંઈ ખાસ રહી ન હતી, ત્યારે કેટલાક લોકો ટી-20માં તેના ખરાબ ફોર્મને કારણે તેને વનડે ટીમમાંથી પણ પડતો મૂકવાનું કહી રહ્યા છે. અનુભવી ભારતીય વિકેટ-કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક એ જોકે પંતના ટીકાકારોને બે બાબતોને અલગથી જોવાનું કહ્યું છે. કાર્તિકે તાજેતરની મેચોમાં તેની એવરેજ જોઈને 50-ઓવરના ફોર્મેટમાં પંતના મામલાનું સમર્થન કર્યું, જેમાં એક સદી પણ સામેલ છે.

આ સિવાય પંત પ્રથમ વનડેમાં બાંગ્લાદેશ સામે હારેલી ભારતીય ટીમનો ભાગ નહોતા. પરંતુ પંતની જગ્યાએ વિકેટકીપરની ભૂમિકા ભજવનાર ખેલાડી કેએલ રાહુલ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. રાહુલને લાંબા સમય બાદ વિકેટકીપરની ભૂમિકા નિભાવવા મળી છે પરંતુ કાર્તિક ઇચ્છતા નથી કે પંતને નજરઅંદાજ કરવામાં આવે.

એક ઇન્ટરવ્યુમાં કાર્તિકે કહ્યું કે લોકો એવું ન કહી શકે કે પંતને વનડે ફોર્મેટમાંથી બહાર કરવામાં આવે. કાર્તિકનું માનવું છે કે પંતને 50 ઓવરના ફોર્મેટમાં તક આપવી જોઈએ. પરંતુ જો તે પરિણામ ના આપે તો ટીમે આગળ વધવું જોઈએ.

"આપણે તેને અલગ રીતે જોવાની જરૂર છે. છેલ્લી 10 ઇનિંગ્સમાં વન-ડે ક્રિકેટમાં, તેની સરેરાશ 45 થી વધુ છે. સ્વાભાવિક છે કે તેમણે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં મેચ-વિનિંગ 120 (અણનમ 125) સ્કોર બનાવ્યો હતો. એટલે સારું કર્યું છે અને જ્યારે કોઇએ પોતાના માટે ખૂબ સારુ કર્યું છે તો તમે એ ના કહી શકો કે 'ઓહ તેને વનડે ક્રિકેટમાંથી બહાર કરી દેવો જોઇએ.' તેમ કાર્તિકે કહ્યું.

"મને લાગે છે કે તેમને વધુ સારું કરવા માટે તકો આપવાની જરૂર છે અને જો તેઓ સારો દેખાવ ન કરે તો આગળ વધો. પરંતુ તમે માત્ર એટલા માટે તેમને ચાન્સ આપી શકતા નથી કે તેમણે બીજા ફોર્મેટમાં સારું કર્યું છે.

આપને જણાવી દઈએ કે પંત બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી માટે ભારતની ટીમનો ભાગ નથી, પરંતુ ટેસ્ટ શ્રેણી માટે તેઓ ફિટ અને તૈયાર હોવાની આશા છે.

  • Follow us on: