• દર વર્ષે શ્રાવણી અમાસનો મેળો ગામમાં યોજાય છે
  • ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયું છે
  • તંત્ર દ્વારા મેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

રાજકોટ-ભાવનગર હાઈવે પરના ત્રંબા ગામનો મેળો રદ કરવામાં આવ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે ગામનો મેળો બંધ કરવામાં આવ્યો છે. ત્રંબા ગામે શ્રાવણી અમાસનો મેળો યોજાય છે.

ત્રંબા ગામે ભાદરવી અમાસે દર વર્ષની જેમ આ વર્ષે યોજાવાનો હતો પરંતુ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે તંત્ર દ્વારા મેળો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ હોય મેળો રદ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં સાતમ-આઠમનો મેળો પણ રદ થયેલ છે.

રાજકોટમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી જન્માષ્ટમીનો રંગેચંગે લોકમેળો યોજાય છે. જેમાં દરવર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી પાંચ દિવસ દરમિયાન 15 લાખ જેટલા લોકો ઉમટી પડે છે. જોકે, આ વખતે વરસાદને કારણે મેળામાં પાણી ભરાઈ જતાં મેળો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  • Follow us on: