પૈસો ખેંચ્યો આવશે, ઘરની આ દિશામાં લગાવો મની ટ્રી!

credits: Meta AI

વાસ્તુ શાસ્ત્રમાં ક્રાસુલા પ્લાન્ટને ધન અને સમૃદ્ધિ આકર્ષિત કરતો ચમત્કારી છોડ માનવામાં આવે છે.

આ છોડને સામાન્ય ભાષામાં જેડ પ્લાન્ટ (Jade Plant) અથવા મની ટ્રી (Money Tree) પણ કહેવામાં આવે છે.

માનતા અનુસાર, ક્રાસુલા પ્લાન્ટને ઘરમાં સાચી દિશામાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે.

જ્યારે તમે બહારથી ઘરની અંદર આવો, ત્યારે મુખ્ય દરવાજાની જમણી બાજુએ આ છોડ રાખવો સૌથી ઉત્તમ ગણાય છે.

મુખ્ય પ્રવેશદ્વાર પર આ છોડ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી આવતી અને સુખ-સમૃદ્ધિ વધે છે.

ઉત્તર દિશાને કુબેર દેવની દિશા માનવામાં આવે છે, તેથી અહીં ક્રાસુલા રાખવાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.

પૂર્વ દિશામાં આ છોડ રાખવાથી ઘરના સભ્યોની તંદુરસ્તી સારી રહે છે અને સમાજમાં માન-સન્માન વધે છે

લિવિંગ રૂમના દક્ષિણ-પૂર્વ ખૂણામાં (અગ્નિ ખૂણો) ક્રાસુલા રાખવાથી ફસાયેલા પૈસા ઝડપથી પાછા મળે છે

આ છોડને ભૂલથી પણ બેડરૂમમાં ન રાખવો જોઈએ, તેનાથી માનસિક તણાવ વધી શકે છે.

બાથરૂમ કે શૌચાલયની નજીક ક્રાસુલા રાખવાથી ઘરની સકારાત્મક ઉર્જા અને ધનનો વ્યય થાય છે.

રસોડામાં અથવા અંધારાવાળી જગ્યાએ આ છોડ રાખવાથી તે સુકાઈ જાય છે, જેને અશુભ માનવામાં આવે છે.

આ છોડને બહુ વધારે પાણીની જરૂર નથી હોતી, કુંડાની માટી સુકાયા પછી જ તેમાં પાણી આપવું જોઈએ.

More Web Stories

ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે પીવો ગરમ કોફી, જાણો તેની યોગ્ય રીતગરમીમાં અળાઇથી મેળવો છુટકારો ઘરેલુ નુસખા લાભદાયકરસોડામાં રહેલું આ એક બીજ ઝડપથી ઓગાળશે ચરબીનાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ પેનકેક, ટ્રાય ઇન્સ્ટન્ટ રેસીપીView All