આયુર્વેદમાં ભાદરવો ચોમાસાની ઋતુ સાથે જોડાયેલો હોવાથી અગ્નિ એટલે કે પાચનશક્તિ નબળી રહેવાની વાત કરવામાં આવે છે.
વર્ષા ઋતુમાં આયુર્વેદ હળવો અને સરળતાથી પચી શકે તેવો ખોરાક લેવાની સલાહ આપે છે.
ઉપલબ્ધ આયુર્વેદિક માર્ગદર્શિકાઓમાં ભીંડાને ચોમાસામાં લઈ શકાય તેવી શાકભાજીમાં સામેલ કરવામાં આવ્યો છે
ચોમાસામાં પાચનશક્તિ નબળી હોવાથી વધારે પ્રમાણમાં ભીંડો ખાવાથી કેટલાક લોકોને ભારેપણું કે પાચનની તકલીફ થઈ શકે છે.
ભીંડો બનાવતી વખતે આદુ, જીરું અથવા હળદર જેવા પાચનને અનુકૂળ મસાલાનો ઉપયોગ કરી શકાય છે
ચોમાસાની આ સિઝનમાં અને ભાદરવાનાં ભેજવાળા વાતાવરણમાં ભીંડા જેવા પાકમાં ઈયળ કે જીવાતોનું પ્રમાણ વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
આ મહિનામાં હળવો અને જલદી પચે તેવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.
લોકોમાં માન્યતા છે અને કેટલાક લોકો આયુર્વેદના નામે એવુ કહે છે કે ભીંડા ન ખવાય. પરંતુ આ અંગે સંદેશ ન્યૂઝ કોઇ પુષ્ટિ કરતુ નથી.