નાળિયેર ઉપરથી છે કડક તો અંદર પાણી કેવી રીતે આવે છે?

નાળિયેર ઝાડ પર ઉગે છે ત્યારે તેની અંદર કુદરતી રીતે જ પાણી ભરાવાની શરૂઆત થાય છે.

નાળિયેરના મૂળ જમીનમાંથી પાણી અને પોષક તત્વો શોધીને ઝાડના થડ દ્વારા કાચા નાળિયેર સુધી પહોંચાડે છે.

શરૂઆતમાં કાચા અને કૂણા નાળિયેરમાં આ પ્રવાહી જેલ જેવું હોય છે, જે સમય જતાં પાણીમાં રૂપાંતરિત થાય છે.

નાળિયેરના કઠણ થવા છતાં તેની અંદર અસંખ્ય સૂક્ષ્મ રેસાઓ (Fibres) હોય છે જે ભેજને અંદર જાળવી રાખે છે.

આ અંદરનું પાણી વાસ્તવમાં નાળિયેરનો એન્ડોસ્સ્પર્મ (Endosperm) છે, જે છોડના વિકાસ માટેનો પોષક આહાર છે.

જેમ જેમ નાળિયેર મોટું અને પક્વ બને છે, તેમ તેમ આ પાણી ઘટ્ટ થઈને અંદરની મલાઈ (કોપરું) બનવા લાગે છે.

આમ, ઝાડ દ્વારા મળતા પોષક તત્વો અને ભેજના કારણે કઠણ કવચની અંદર કુદરતી રીતે પાણી એકત્ર થાય છે.

More Web Stories

બ્લેક કોફી ભૂખ્યા પેટે પીવી ગુણકારી કે જમ્યા પછી?ભાદરવામાં ભીંડા ખવાય કે નહી ?વધારે ગરમ ચા-કોફી પીવાથી થઈ શકે છે અન્નનળીનું કેન્સર, સંશોધનમાં ખુલાસોનાસ્તામાં રોજ બ્રેડ ખાનારા ચેતીજજો, નહીંતર...View All