મલ્ટિગ્રેન રોટલીમાં ઘઉં ઉપરાંત ચણા, જુવાર, બાજરી અને મકાઈ જેવા અનેક અનાજના ગુણો એકસાથે મળે છે.
આ રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી તે કબજિયાત દૂર કરે છે અને પાચનક્રિયા સુધારે છે.
ફાઈબરથી ભરપૂર હોવાને કારણે તેને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે બ્લડ શુગર લેવલને અચાનક વધવા દેતી નથી.
આ રોટલી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ ત્વચામાં ગ્લો લાવે છે અને વાળને મજબૂત બનાવે છે.
એક સામાન્ય પુખ્ત વ્યક્તિએ પોતાના આહાર અને ભૂખ પ્રમાણે દિવસમાં 2 થી 3 રોટલી ખાવી પૂરતી છે.
હંમેશા ૪ ભાગ ઘઉંના લોટમાં ૧ ભાગ અન્ય અનાજનો લોટ મિક્સ કરીને જ મલ્ટિગ્રેન લોટ તૈયાર કરવો.
: આ રોટલી પચવામાં ભારે હોવાથી રાત્રે મોડા ખાવાનું ટાળવું જોઈએ, જેથી અપચો ન થાય.
મલ્ટિગ્રેન રોટલી સવારના નાસ્તામાં અથવા બપોરના ભોજન (લંચ)માં ખાવી સૌથી વધુ ફાયદાકારક છે.