કેટલીક વખત લોકોને વારંવાર ખાટા ઓડકાર આવતા હોય છે જે સામાન્ય સમસ્યા નથી હોતી.
ઘણીવાર આ પેટમાં ગડબડી થવાની શરૂઆત થવાના સંકેત પણ હોય શકે છે.
ખાવા પીવાની કેટલીક આદતો પણ તેની મોટું કારણ બની શકે છે.
વધારે પ્રમાણમાં તીખું-મસાલેદાર કે ઓઈલી ભોજન કરવાથી પણ આ સમસ્યા થાય છે.
જરૂરિયાતથી વધારે ખાવું કે ખાઈને તરત સૂઈ જવાથી પણ ખાટા ઓડકાર આવે છે.
એસિડ રિફ્લક્સ અને ગેસને કારણે પણ ખાટા ઓડકાર આવવા લાગે છે.
ચા-કોફી, દારૂ કે ધુમ્રપાનની આદતથી પણ જોખમ વધી શકે છે.
જો ખાટા ઓડકાર વધારે સમય સુધી આવે કે છાતીમાં બળતરા થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.