• ભારત માટે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો સમય આવી ગયો છે:ઈઝરાયેલ
  • 'ભારત ખૂબ જ નજીકનો સાથી છે અને ભારત વિશ્વમાં નૈતિકતાનો એક મહત્વપૂર્ણ અવાજ છે
  • ભારતે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો

હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને બુધવારે કહ્યું હતું કે ભારત માટે હમાસને આતંકવાદી જૂથ જાહેર કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે ભારત ઈઝરાયલનો મહત્વપૂર્ણ સાથી છે અને તે આતંકવાદની સમસ્યાને સમજે છે કારણ કે તે પોતે આતંકવાદનો શિકાર રહ્યો છે. ગિલને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) પર પણ વાત કરી અને કહ્યું હતું કે સંઘર્ષની IMEC પર કોઈ અસર થશે નહીં.

મીડિયા સાથેની બ્રીફિંગમાં બોલતા ગિલોને કહ્યું હતું કે I2U2 (ભારત, ઈઝરાયેલ, UAE અને US) અને IMEC જેવા આર્થિક પ્રોજેક્ટ ટ્રેક પર રહેશે અને હમાસ સાથેના યુદ્ધની ઈઝરાયેલની અર્થવ્યવસ્થા પર કોઈ અસર નહીં થાય.

'ભારતે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ'

ભારત સાથે ઈઝરાયેલના સંબંધો વિશે વાત કરતા ગિલોને મીડિયાને કહ્યું હતું કે, 'ભારત ખૂબ જ નજીકનો સાથી છે અને ભારત વિશ્વમાં નૈતિકતાનો એક મહત્વપૂર્ણ અવાજ છે. જ્યારે આતંકવાદની વાત આવે છે ત્યારે તે સમસ્યાથી સારી રીતે વાકેફ છે અને જાણે છે કે આપણે કઈ સમસ્યા વિશે વાત કરી રહ્યા છીએ. કારણ કે ભારત ઘણા વર્ષોથી આતંકવાદનો શિકાર છે.

ગિલોને વધુમાં કહ્યું હતું કે, 'દુનિયાની લોકશાહી અમારી સાથે છે. મને લાગે છે કે ભારત માટે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો સમય આવી ગયો છે. ઘણા દેશો આ પહેલા કરી ચૂક્યા છે. યુરોપિયન યુનિયન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા આ દેશોએ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યુંછે. આતંકવાદ સામે ઈઝરાયેલને સમર્થન આપતી વખતે ભારતે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ સિવાય ભારતે સમસ્યાના ઉકેલ માટે દ્વિ-રાજ્ય ઉકેલ અને સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે.

'હમાસ અંગે ભારતીય અધિકારીઓ સાથે વાતચીત'

મીડિયા સાથે વાતચીત દરમિયાન ગિલોને એમ પણ કહ્યું હતું કે હમાસને આતંકવાદી જૂથ જાહેર કરવા અંગે તેમણે ભારતના સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી છે. 'આ પહેલીવાર નથી જ્યારે અમે તેના વિશે વાત કરી છે. અમે દબાણ નથી કરી રહ્યા. અમે માનીએ છીએ કે આ યોગ્ય છે. હમાસના હુમલા બાદ અમે આ મુદ્દો ભારત સમક્ષ ઉઠાવ્યો હતો અને અમે હજુ પણ તેના વિશે વાત કરી રહ્યા છીએ. આ મૈત્રીપૂર્ણ વાતચીત છે. અમે આતંકવાદનો સામનો કરવા અને અન્ય મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીએ છીએ.

'સંઘર્ષ ઇઝરાયેલની અર્થવ્યવસ્થાને અસર કરશે નહીં'

ઈઝરાયેલના રાજદૂતે કહ્યું હતું કે હમાસ સાથે ચાલી રહેલા સંઘર્ષથી ઈઝરાયેલની અર્થવ્યવસ્થા પર કોઈ અસર નહીં થાય. 'ઈઝરાયેલનો અદ્ભુત ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય છે. ઇઝરાયેલ વિકાસના માર્ગ પર ચાલવાનું ચાલુ રાખશે. અત્યારે અમારી પ્રાથમિકતા એ છે કે સંકટમાંથી કેવી રીતે છુટકારો મેળવવો. એકવાર આપણે ખતરામાંથી છૂટકારો મેળવીએ, અમે સામાન્ય સ્થિતિમાં પાછા આવી શકીએ છીએ.


  • Follow us on: