• પાકિસ્તાનથી ભારત આવી અંજુ 
  • અંજુની પંજાબ પોલીસ અને આઈબી દ્વારા પૂછપરછ 
  • પૂછપરછમાં અંજુએ ઘણા મોટા ખુલાસા કર્યા

પાકિસ્તાનમાં લગભગ 5 મહિના ગાળ્યા બાદ અંજુ બુધવારે અટારી-વાઘા બોર્ડર થઈને ભારત પરત આવી હતી. અંજુનો દિલ્હી એરપોર્ટ પહેલા વાઘા બોર્ડર પર ભારતીય મીડિયાનો સામનો પણ થયો હતો. પરંતુ ત્યાં પણ તેણે ખુલીને વાત કરી ન હતી. જોકે, પાકિસ્તાનથી પરત ફરેલી અંજુની પંજાબ પોલીસ અને આઈબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં અંજુએ ઘણા મોટા ખુલાસા કર્યા છે.

પૂછપરછ દરમિયાન અંજુએ શું કહ્યું?

પૂછપરછ દરમિયાન અંજુએ જણાવ્યું હતું કે તે 21 જુલાઈ 2023ના રોજ પાકિસ્તાન ગઈ હતી. ત્યાં નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા હતા. જોકે, તે લગ્નના કોઈ દસ્તાવેજો બતાવી શકી ન હતી. અંજુએ પાકિસ્તાની સંરક્ષણ કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારના જોડાણનો ઇનકાર કર્યો હતો. અંજુએ કહ્યું હતું કે તે તેના ભારતીય પતિ અરવિંદને છૂટાછેડા આપશે તે પોતાના બાળકોને પાકિસ્તાન લઈ જવા માંગે છે.

પાકિસ્તાની આતિથ્યના ગીતો

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનથી પરત ફરેલી અંજુ ભારતીય મીડિયામાં વાઘા બોર્ડરથી દિલ્હી એરપોર્ટ સુધી દોડતી જોવા મળી હતી. પરંતુ હવે આ જ અંજુની પાકિસ્તાની મીડિયા સાથેની વાતચીત કરી હતી અને તેમા તે ખુશ દેખાતી હતી. તે પાકિસ્તાનના આતિથ્યના ગીતો વાંચતી જોવા મળી હતી.

પાકિસ્તાન પર અંજુની નરમાઈ કેમ?

આ એજ અંજુ છે જે પોતાના બાળકો અને પરિવારને છોડીને પ્રેમ માટે પાકિસ્તાન ગઈ હતી. આ દરમિયાન ભારતીય લોકો અને તેનો પરિવાર આ હરકતથી નારાજ થયો હતો. પાકિસ્તાનમાં જ્યારે તેમના ધર્મ પરિવર્તનના સમાચાર આવ્યા ત્યારે અહીંના લોકોના હૃદયના ધબકારા વધી ગયા હતા. પરંતુ આ બધું હોવા છતાં અંજુ ભારતીય મીડિયા પ્રત્યે ઉદાસીનતા દર્શાવતી અને પાકિસ્તાની મીડિયા પ્રત્યે નરમ બનતી જોવા મળી હતી.

અંજુ પાકિસ્તાનને કેમ પ્રેમ કરે છે?

તમને જણાવી દઈએ કે, અંજુનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ તે સમયે પણ જોવા મળ્યો હતો. જ્યારે તે પહેલીવાર ઓગસ્ટમાં ત્યાં ગઈ હતી. તેના મિત્ર નસરુલ્લાહ સાથે તસવીરો ક્લિક કરાવી રહી હતી. તે રીલ્સ બનાવતી હતી અને પછી પાકિસ્તાની મીડિયા સાથે ઇન્ટરવ્યુ પણ કરતી હતી.

  • Follow us on: