ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તૂટવાની આરે પહોંચવાના છે. ભારતે કેનેડામાંથી હાઈ કમિશનરને પરત બોલાવ્યા અને છ કેનેડિયન રાજદ્વારીઓને કાઢવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે. જેની અસર કેનેડા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર જોવા મળશે. કેનેડાએ પહેલાથી જ સ્ટડી વિઝા પર જતા વિદ્યાર્થીઓની જીઆઈસી બમણી કરી દીધી છે.


એક વર્ષ પહેલા જીઆઈસી (ગેરંટીડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ) આશરે 10,200 ડોલર હતી. વિદ્યાર્થીએ લગભગ 20,650 ડોલર ચૂકવવા પડશે. ધીમે ધીમે યુવાનોનો કેનેડા જવા પ્રત્યેનો મોહ પણ ઘટી રહ્યો છે.

બંને દેશો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને કારણે કેનેડાની સરકાર વિઝા આપવામાં સમય લઈ રહી છે. આ પહેલા સ્ટડી વિઝા મેળવવા માટે દસથી વીસ દિવસ લાગતા હતા. હવે બેથી ત્રણ મહિનાનો સમય લાગી રહ્યો છે.

વિઝિટર વિઝામાં પણ લાગી રહ્યો છે સમય

વિઝિટર વિઝાની વાત કરીએ તો વિઝા એક મહિનામાં આવી જતા હતા. હવે તેને 112 દિવસ લાગી રહ્યા છે. જો ટેન્શન વધે તો સ્ટડી અને વિઝિટર વિઝા મેળવવામાં વધુ સમય લાગી શકે છે. લગભગ ભારતથી દર વર્ષે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા પર અભ્યાસ કરવા માટે કેનેડા જાય છે.

વિદ્યાર્થીઓ કેનેડામાં પણ કરે છે પાર્ટ ટાઈમ જોબ

ડ્રાઈવિંગ-18.74 ટકા

એગ્રીકલ્ચર- 12.52 ટકા

પેટ્રોલ પંપ-6.23 ટકા

સ્ટોર કીપર - 11.19 ટકા

રેસ્ટોરન્ટ્સ - 8.12 ટકા

મોટર ગેરેજ-7.80 ટકા

પ્લમ્બિંગ- 3.60 ટકા

કયો કોર્સ વધુ મહત્વનો છે?

હોટેલ મેનેજમેન્ટ- 21.19 ટકા

આઈટી - 21.25 ટકા

બિઝનેસ સ્ટડી-11.25 ટકા

ફાયનાન્સ-13.80 ટકા

આરોગ્ય વિજ્ઞાન- 6.35 ટકા

એબીએ -4.48 ટકા

શહેરોમાં સૌથી વધુ ભારતીયો

કોલંબિયાના સરી, ડેલ્ટા, વાનકુવર, ઓન્ટારિયોનું ટોરોન્ટો, બ્રેમ્પટન, મિસીસાગા, માલ્ટન, આલ્બર્ટા રાજ્યનું એડમન્ટન, કેલગરી, ક્યૂબેક રાજ્યનું મોન્ટ્રીયલ, વિનીપેગમાં ભારતીયોના વસ્તી વધુ છે. મીડિયા રિપોર્ટ મુજબ બંને દેશો વચ્ચેના બગડતા સંબંધોની અસર ત્યાં ભણતા વિદ્યાર્થીઓ પર પડશે.

ભારતના મોટાભાગના યુવાનો કેનેડાને વધુ પ્રાધાન્ય આપે છે. ભવિષ્ય જોખમમાં આવી શકે છે. ત્યાં જઈ ચૂકેલા વિદ્યાર્થીઓને કામ નથી મળતું. રહેવા માટે મકાનોની અછત છે. જો સ્થિતિ આવી જ રહેશે તો યુવાનો કેનેડા જવા માટે ભ્રમિત થશે. હાલમાં તેની અસર વર્ષ 2024માં જોવા મળી રહી છે.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


  • Follow us on: