- યુદ્ધવિરામ બાદ હમાસને ખતમ કરવા માટે યુદ્ધ ચાલુ રહેશે:નેતન્યાહુ
- તેઓ યુદ્ધ પછી ગાઝા પર શાસન કરવાનું ચાલુ રાખશે
- ઇઝરાયલના રક્ષા મંત્રીએ કહ્યું- હમાસને નષ્ટ કરતા પહેલા રોકાશે નહીં
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધવિરામ સોદાનો અર્થ એ નથી કે હમાસ વિરુદ્ધ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. નેતન્યાહુએ તેમની કેબિનેટને કહ્યું હતું કે યુદ્ધવિરામ બાદ હમાસને ખતમ કરવા માટે યુદ્ધ ચાલુ રહેશે. નેતન્યાહુએ કહ્યું હતું કે તેમણે દેશની ગુપ્તચર સંસ્થા મોસાદને સ્પષ્ટપણે કહ્યું છે કે તે હમાસના ટોચના કમાન્ડરોને શોધવાનું કામ ચાલુ રાખે અને તેઓ જ્યાં પણ હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરે.
નેતન્યાહુને બુધવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં હમાસ કમાન્ડર ઈસ્માઈલ હનીહ અને ખાલેદ મશાલના નિવેદનોનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. ઇસ્માઇલ હનીયેહ અને ખાલેદ મશાલે કહ્યું છે કે તેઓ યુદ્ધ પછી ગાઝા પર શાસન કરવાનું ચાલુ રાખશે. આના જવાબમાં નેતન્યાહુએ કહ્યું હતું કે, મેં મોસાદને સૂચના આપી છે કે હમાસના વડાઓ જ્યાં પણ હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરે. યુદ્ધવિરામમાં એવી કોઈ જવાબદારી નથી કે અમે હમાસના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરી શકીએ.













