- કેનેડામાં સસ્પેન્ડેડ વિઝા સેવાઓથી લઈને દરેક સવાલોના આપ્યા જવાબ
- વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કેનેડા પર કર્યા પ્રહાર
- "કેનેડા ખાલિસ્તાની અલગતાવાદીઓને "સુરક્ષિત આશ્રયસ્થાન" પ્રદાન કરે છે"
ભારત-કેનેડા વિવાદ મુદ્દા વચ્ચે વિદેશ મંત્રાલયે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન વિદેશ મંત્રાલયે કેનેડામાં સસ્પેન્ડેડ વિઝા સેવાઓથી લઈને દરેક સવાલોના જવાબ આપ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ કેસમાં અમુક અંશે પૂર્વગ્રહ છે. કેનેડા સરકારે આક્ષેપો કર્યા છે અને કાર્યવાહી કરી છે. અમને લાગે છે કે કેનેડા સરકારના આ આક્ષેપો મુખ્યત્વે 'રાજકીય રીતે પ્રેરિત' છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું નિવેદન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કેનેડા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે 'આ કેસમાં અમુક અંશે પૂર્વગ્રહ છે. અમને લાગે છે કે આક્ષેપો મુખ્યત્વે રાજકીય રીતે પ્રેરિત છે.' ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ પર બાગચીએ કહ્યું કે 'અમારી પાસે કેનેડાથી વધુ રાજદ્વારીઓ છે. આ બાબતમાં અમારી સંખ્યા ઘણી ઓછી છે. આગામી દિવસોમાં કેનેડિયન એમ્બેસીના વધુ કર્મચારીઓ ઉમેરવામાં આવશે.' તેમણે કહ્યું કે 'અમે ખાલિસ્તાન સાથે જોડાયેલા પુરાવા કેનેડાને અનેક પ્રસંગોએ આપ્યા છે, પરંતુ કોઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી.'
કેનેડા ઉગ્રવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડા ખાલિસ્તાની અલગતાવાદીઓને "સુરક્ષિત આશ્રયસ્થાન" પ્રદાન કરે છે જ્યારે પાકિસ્તાને તેમને ભંડોળ પૂરું પાડ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવકત્તા અરિંદમ બાગચીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી.
તેમણે એમ પણ કહ્યું કે વિઝા સેવાઓ સંબંધિત નિર્ણયની આપણા નાગરિકો પર કોઈ અસર નહીં થાય. મોટી સંખ્યામાં કેનેડિયન રાજદ્વારીઓ ભારતમાં છે, જ્યારે કેનેડામાં જેટલા ભારતીય રાજદ્વારીઓ નથી. આવી સ્થિતિમાં, વધુ કેનેડિયન રાજદ્વારીઓ પરત જશે, જેથી આ સંખ્યા બરાબર થઈ શકે.
ભારતે કેનેડાને ઘણા લેખિત દસ્તાવેજો જમા કરાવ્યા: બાગચી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એમ પણ કહ્યું કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. આ બધાથી વિપરીત ભારતે કેનેડાને ઘણા લેખિત દસ્તાવેજો જમા કરાવ્યા છે. આમ છતાં ત્યાં આશરો લઈ રહેલા ખાલિસ્તાનીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ટ્રુડોનું નિવેદન રાજકીય રીતે પ્રેરિત છે.
કેનેડા પાસે ચોક્કસ માહિતી નથી
ભારત-કેનેડા વિવાદ પર અરિંદમ બાગચીએ કહ્યું કે અમે પૂરી પાડવામાં આવેલ કોઈપણ ચોક્કસ માહિતીને જોવા માટે તૈયાર છીએ, પરંતુ હજુ સુધી અમને કેનેડા તરફથી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. અમારા તરફથી, કેનેડામાં રહેતા કેટલાક લોકો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધિત ચોક્કસ પુરાવા કેનેડા સાથે શેર કરવામાં આવ્યા છે, પરંતુ તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સુરક્ષાને લઇ નિવેદન
કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સુરક્ષા વધારવાના પ્રશ્નના જવાબમાં અરિંદમ બાગચીએ કહ્યું કે અમે માનીએ છીએ કે સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. કેટલીક જગ્યાએ અમારી પોતાની સુરક્ષા વ્યવસ્થા પણ છે, પરંતુ જાહેરમાં તેની ચર્ચા ન કરવી તે યોગ્ય નથી. આ વાજબી સ્થિતિ નથી.