- ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે 50 દિવસથી યુદ્ધ યથાવત
- હમાસ-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામનો આજે ચોથો દિવસ
- ઈઝરાયેલ પેલેસ્ટિનિયન કેદીઓને પણ કરશે મુક્ત
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામનું મુખ્ય કારણ એ છે કે જો હમાસ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના બંધકોને મુક્ત કરશે તો ઈઝરાયેલ પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે. આજે કામચલાઉ યુદ્ધવિરામનો છેલ્લો દિવસ છે. હમાસ હવે ઈઝરાયલ સમક્ષ ઘૂંટણિયે જોવા મળી રહ્યો છે, પરંતુ ઈઝરાયેલે મોટી શરત મૂકી છે.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે 50 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી ભારે ગોળીબાર અને બોમ્બમારો થઈ રહ્યો છે. આ યુદ્ધમાં ઘણા નાગરિકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ યુદ્ધમાં હમાસ અને ઈઝરાયેલે એકબીજાના નાગરિકો અને કેદીઓને બંધક બનાવ્યા હતા. હવે બંધકોને છોડાવવા માટે બંને વચ્ચે ચાર દિવસના કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન બંને તરફથી કોઈપણ પ્રકારનો હુમલો થશે નહીં.













