• ગાઝા પટ્ટીમાં અલ-અહલી હોસ્પિટલ પર થયો હુમલો
  • પેલેસ્ટાઈનએ આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું
  • ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ હોસ્પિટલ પર હુમલો કરવાનો ઈન્કાર કરી દીધો

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે મંગળવારે ગાઝા પટ્ટીમાં અલ-અહલી હોસ્પિટલ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 500 લોકોના મોત થયા છે. પેલેસ્ટાઈનએ આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે. જોકે, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ હોસ્પિટલ પર હુમલો કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે હમાસ દ્વારા રોકેટ પ્રક્ષેપણના મિસફાયર માટે હોસ્પિટલમાં વિસ્ફોટને જવાબદાર ગણાવ્યો હતો.

મંગળવારે ગાઝાની હોસ્પિટલમાં વિસ્ફોટ અને સેંકડો લોકોના મોત બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે અમારી માહિતી મુજબ ગાઝામાં આતંકીઓ દ્વારા જ રોકેટ છોડવામાં આવ્યા હતા.

તેઓ તેમના બાળકોને પણ મારી રહ્યા છે: નેતન્યાહુ

નેતન્યાહુએ બીજી પોસ્ટમાં કહ્યું હતું કે આખી દુનિયાને ખબર હોવી જોઈએ, તે ગાઝાના બર્બર આતંકવાદીઓ હતા જેમણે હોસ્પિટલ પર હુમલો કર્યો હતો IDF પર નહીં. તેમણે કહ્યું હતું કે જે લોકોએ અમારા બાળકોની નિર્દયતાથી હત્યા કરી છે તેઓ પોતાના બાળકોને પણ મારી રહ્યા છે. આની પુષ્ટિ કરતા ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે પ્રાપ્ત ગુપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલ પર હુમલા માટે ઇસ્લામિક જેહાદ આતંકવાદી સંગઠન જવાબદાર છે.


હમાસના ટાર્ગેટને નિશાન બનાવી રહ્યા છે

આ દરમિયાન ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુના પ્રવક્તા તાલ હેનરિચે મંગળવારે જણાવ્યું હતું કે IDF હોસ્પિટલોને લક્ષ્ય બનાવતું નથી. અમે માત્ર હમાસના ગઢ, હથિયારોના ડેપો અને આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીએ છીએ. પેલેસ્ટિનિયન સૂત્રોએ જણાવ્યું હતું કે ગાઝા શહેરમાં અલ-અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર ઇઝરાયેલના હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હોવાનું પ્રાથમિક અંદાજ દર્શાવે છે તે પછી હેનરિચે તેની ટિપ્પણી કરી હતી.

ઓછામાં ઓછા 500 લોકો મૃત્યુ પામ્યા

ગાઝા આરોગ્ય મંત્રાલયના સ્ત્રોત અનુસાર, શરૂઆતમાં ઓછામાં ઓછા 500 મૃત્યુ નોંધાયા હતા. હમાસ સંચાલિત સરકાર બંને વિભાગોનો હવાલો સંભાળે છે. IDFની પ્રાથમિક તપાસ દર્શાવે છે કે ગાઝાની હોસ્પિટલમાં વિસ્ફોટ હમાસ દ્વારા કરવામાં આવેલા નિષ્ફળ રોકેટ પ્રક્ષેપણને કારણે થયો હતો.

હમાસને લાગતું હતું કે ઇઝરાયેલ તૂટી જશે

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે કહ્યું હતું કે હમાસ વિચારે છે કે ઇઝરાયેલ તૂટી જશે પરંતુ અમે હમાસને તોડીશું. કેબિનેટની બેઠક દરમિયાન પ્રધાનો સાથે વડાપ્રધાને એક મિનિટનું મૌન પાળ્યું હતું અને હમાસના ઘાતક હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. નેતન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયેલ એકતામાં કામ કરી રહ્યું છે અને આ હમાસ અને વિશ્વને સ્પષ્ટ સંદેશ આપે છે. તેમણે કહ્યું હતું કે 'અમે એકજૂટ છીએ અને એક ટીમ તરીકે ચોવીસ કલાક કામ કરીએ છીએ.


  • Follow us on: