• બ્રિટનના PM ઋષિ સૂનકને લઇ અનેક ચર્ચાઓ 
  • જાન્યુઆરી 2025 સુધીમાં યોજાશે ચૂંટણી 
  • વર્તમાન સંકટને ટાળવાનો પ્રયાસ કરવાની જરૂર: નિષ્ણાતો

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ રાષ્ટ્રીય સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરી 2025 સુધીમાં યોજાનારી ચૂંટણી પછી ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન રહેશે નહીં.

બ્રિટિશ PM ઋષિ સુનક આ સપ્તાહના અંતમાં કન્ઝર્વેટિવ પાર્ટીના કોન્ફરન્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે, તેમનો ઉદ્દેશ્ય બ્રિટનને સમજાવવાનો છે કે તેઓ આગામી સામાન્ય ચૂંટણી જીતી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરી 2025 સુધીમાં યોજાનારી ચૂંટણી પછી ઋષિ સૂનક બ્રિટનના વડાપ્રધાન રહેશે કે કેમ તેને લઇ અનેક અટકળો ચાલી રહી છે. તેવામાં તમને જણાવી દઈએ કે વિપક્ષી લેબર પાર્ટીને એક વર્ષથી વધુ સમયથી ડબલ ડિજિટ મતદાનનો ફાયદો મળ્યો છે. આ અઠવાડિયે YouGov એ લેબરને 21 પોઈન્ટની લીડ આપી હતી, જ્યારે તાજેતરના કેટલાક મતદાનમાં સૂનક પાછળ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

વર્તમાન સંકટને ટાળવાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ બ્રિટનના PM ઋષિ સૂનકની પાર્ટીના 12થી વધુ સાંસદો, સલાહકારો અને કાર્યકરો સાથેના ઇન્ટરવ્યુ પરથી એવું લાગે છે કે સૂનકે હાલમાં ચાલી રહેલા સંકટને ટાળવાનો પ્રયાસ કર્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીના કોન્ફરન્સમાં એક સાંસદે જણાવ્યું હતું કે,  ઉગ્ર ભાષણ અને ફ્રિન્જ ઇવેન્ટ્સ સામે લડી રહ્યા છીએ. સૂનકના સમર્થકો કહે છે કે તેમની ટીમ તેમના પ્રીમિયરશિપને સફળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તનતોડ મહેનત કરી રહી છે.

જ્યારે પક્ષનું નેતૃત્વ કહે છે કે તેઓ PM ઋષિ સૂનકને ટેકો આપવા અને કન્ઝર્વેટિવ ચૂંટણીની જીત માટે દબાણ કરવા માટે કામ કરી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો માને છે કે જો લેબર સંપૂર્ણ બહુમતી જીતવામાં નિષ્ફળ જાય તો સુનક હજુ પણ જીતી શકે છે

  • Follow us on: