• 9 દિવસથી ચાલી રહેલું હમાસ-ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ યથાવત
  • હમાસના ટોચના કમાન્ડર બિલાલ અલ-કેદ્રાને હવાઈ હુમલામાં ઠાર
  • બાતમીના આધારે એર ફોર્સે ગાઝા પર કરી હતી એર સ્ટ્રાઇક

સતત 9 દિવસથી ચાલી રહેલું હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ યથાવત છે. હવાઇ હુમલા બાદ ઈઝરાયેલે હમાસને વળતો જવાબ આપી રહ્યું છે. તેવાામાં ઇઝરાયેલની વાયુસેના દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, હમાસના ટોચના કમાન્ડર બિલાલ અલ-કેદ્રાને હવાઈ હુમલામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ઇઝરાયેલ એર સ્ટ્રાઇકમાં હમાસના ટોચના કમાન્ડર માર્યા ગયા છે. ઇઝરાયેલની વાયુસેના દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલના સંરક્ષણ ટીમે હમાસના ટોચના કમાન્ડર બિલાલ અલ-કેદ્રાને હવાઈ હુમલામાં મારી નાખ્યા છે. ડિફેન્સ ફોર્સે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે અલ-કેદ્રાને માર્યો છે. ઇઝરાયલી ગુપ્તચરોને બાતમી મળી હતી કે બિલાલ અલ-કેદરા ગાઝા પટ્ટીની દક્ષિણે આવેલા ખાન યુનિસ શહેરમાં છે જેને લઇ ઇઝારાયેલના સૈનિકોએ હુમલો કર્યો જેમાં હમાસના ટોચના કમાન્ડર બિલાલ અલ-કેદ્રાનું મોત થયું છે.

અલ-કેદરા સાથે અન્ય આતંકવાદીઓ પણ ઠાર: ઇઝરાયેલ

IAFએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હુમલામાં અલ-કેદરા સાથે હમાસ અને ઈસ્લામિક જેહાદના અન્ય આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. ઇઝરાયેલી સેનાએ હમાસના ઓપરેશનલ કમાન્ડ સેન્ટર અને લશ્કરી સંકુલને નિશાન બનાવીને ઝાયતુન, ખાન યુનિસ અને પશ્ચિમી જબાલિયામાં 100 થી વધુ લશ્કરી લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા. હવાઈ ​​હુમલાએ ઘણા એન્ટી-ટેન્ક મિસાઈલ લોન્ચ પેડ્સ અને ઓબ્ઝર્વેશન પોઈન્ટને પણ ધ્વસ્ત કર્યો છે.

હવાઇ હુમલામાં 2300થી વધુ પેલેસ્ટિનિયનના મોત

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના ઘર્ષણમાં પરીસ્થિતી ખૂબ જ ખરાબ છે. જાણકારી પ્રમાણે  હવાઇ હુમલામાં 2300થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે અને ગાઝાના 5 યુદ્ધોમાંથી પેલેસ્ટાઈનીઓ માટે તે સૌથી ઘાતક યુદ્ધ બની ગયું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે કે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઇજાગ્રસ્તોની સંખ્યા 8,714 પર પહોંચી ગઈ છે. આ હવાય હુમલામાં 700 બાળકો અને પશ્ચિમ કાંઠે અત્યાર સુધીમાં 50 પેલેસ્ટિનિયનોના મોત થયા છે. ઈઝરાયેલમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 1300 છે, જ્યારે 3400 લોકો ઇજાગ્રસ્ત છે.

  • Follow us on: