ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વીઝા સેવાઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશના ચટગાંવ સ્થિત ઈન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર (IVAC)માં ભારતીય વિઝા સેવાઓને 21 ડિસેમ્બર 2025થી આગામી આદેશ સુધી અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવી છે.
સેવાઓ ફરી ક્યારે શરૂ થશે?
તાજેત્તરમાં જ ચટગાંવમાં ભારતીય સહાયક ઉચ્ચ આયોગની બહાર ભીડ એકઠી થઈ અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને હિંસાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટના બાદ વિઝા સેવાઓ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સ્થિતિની સમીક્ષા બાદ જ સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ નિર્ણય ચટગાંવમાં સ્થિત ભારતીય સહાયક ઉચ્ચ આયોગમાં તાજેત્તરમાં જ થયેલી સુરક્ષા ઘટના બાદ સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યો છે.













