અમેરિકા અને ઈઝરાયેલ સાથે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ બાદ ઈરાને મહત્વપૂર્ણ નિર્ણય લઈ કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરી શરૂ કરી છે. રાજધાની તેહરાન સ્થિત ઈમામ ખામેનેઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી શનિવારે બે મહિના બાદ પહેલીવાર નિયમિત ઉડાનો શરૂ થઈ. આ પગલું યુદ્ધ બાદ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી હોવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.


અમેરિકા સાથે સીઝફાયર અમલમાં

મળતી માહિતી મુજબ તેહરાનથી પહેલી ફ્લાઈટ્સ તુર્કીના ઈસ્તાંબુલ, ઓમાનના મસ્કત અને સાઉદી અરબના મદીના માટે રવાના થઈ હતી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે તાજેતરમાં અમેરિકા સાથે સીઝફાયર અમલમાં આવ્યો છે. સીઝફાયર બાદ ઈરાને ધીમે ધીમે પોતાનું એર સ્પેસ ખોલવાનું શરૂ કર્યું હતું અને હવે કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરી શરૂ થવાથી સ્થિરતાની દિશામાં આગળ વધવાની આશા વ્યક્ત થઈ રહી છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ યથાવત

તેમ છતાં, જમીન પરની પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બની નથી. ખાસ કરીને અર્થતંત્ર અને ઊર્જા ક્ષેત્રમાં યુદ્ધની અસર હજુ પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલુ તણાવના કારણે વૈશ્વિક તેલ અને ગેસ સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા યથાવત છે. નિષ્ણાતોનું માનવું છે કે ફ્લાઈટ્સની ફરી શરૂઆત એક સકારાત્મક સંકેત છે, પરંતુ સંપૂર્ણ સ્થિરતા મેળવવા માટે સમય લાગશે. હાલના સમયમાં સીઝફાયર છતાં આર્થિક દબાણ યથાવત રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : Global Power:અરબમાં યુદ્ધની આગ લગાવી આફ્રિકા પર કબજો જમાવવાની તૈયારીમાં દુનિયાના બે સુપર પાવર


  • Follow us on: