આ હુમલો એવા સમયે થયો જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ પ્રક્રિયા માટે વાતચીત હાથ ધરાઇ છે.  

ટ્રમ્પની નારાજગી

ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂત પર બોમ્બ ફેંક્યા, જેમાં ત્રણ લોકો માર્યા ગયા અને 15 ઘાયલ થયા હતા. જોકે, આ હુમલો એવા સમયે થયો જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મોટો શાંતિ કરાર અંતિમ સ્વરૂપ મેળવવાના આરે છે. આ હુમલાથી ઈરાન ગુસ્સે થયુ છે. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ હુમલો ન થવો જોઈતો હતો. ટ્રમ્પે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

ત્રણ મુખ્ય પક્ષો 

આ સમગ્ર મામલામાં ત્રણ મુખ્ય પક્ષો સામેલ છે. પ્રથમ, ઇઝરાયલ. આ દેશ લેબનોનમાં હિઝબુલ્લાહ ઠેકાણાઓ પર સતત હુમલો કરી રહ્યો છે. બીજું, હિઝબુલ્લાહ. તે લેબનોનમાં સ્થિત એક આતંકવાદી સંગઠન છે. તેનો સૌથી મોટો મિત્ર અને સમર્થક ઈરાન છે. ઈરાન તેને પૈસા, શસ્ત્રો અને તાલીમ પૂરી પાડે છે. સરળ શબ્દોમાં કહીએ તો, હિઝબુલ્લાહ ઈરાનના પક્ષે લડે છે. ત્રીજું, ઈરાન અને અમેરિકા. આ બંને દેશો હાલમાં એક મોટા શાંતિ કરાર પર બેઠકો કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આજે સવારે બેરુત પર હુમલો થવો જોઈતો ન હતો, ખાસ કરીને જ્યારે આપણે ઈરાન સાથે શાંતિ કરારની ખૂબ નજીક હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ સ્વીકાર્યું કે, ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. પરંતુ જેના જવાબમાં ઇઝરાયલે આ કાર્યવાહી કરી તે હુમલો ખૂબ જ નાનો હતો. તે હુમલામાં કોઈનું મોત કે ઈજા થઈ નથી. બેરુત પર હુમલા બાદ ઈરાન ગુસ્સે ભરાયું. ઈરાની સૈન્યના ડેપ્યુટી કમાન્ડરે કહ્યું, "લેબનોનમાં ઇઝરાયલની કાર્યવાહીનો જવાબ નહીં મળે."

અઠવાડિયાથી હલચલ થઇ તેજ 

છેલ્લા કેટલાક સમયથી એક ચક્ર ચાલી રહ્યું છે. ઇઝરાયલ બેરૂત પર હુમલો કરે છે, ઈરાન જવાબમાં ઇઝરાયલ પર હુમલો કરે છે. પછી ઇઝરાયલ બદલો લે છે. આ ચક્ર ચાલુ રહે છે. એક અઠવાડિયા પહેલા પણ આવું જ બન્યું હતું. ઇઝરાયલે બેરૂતના દહિયા પડોશ પર હુમલો કર્યો હતો, અને ઈરાને ઇઝરાયલને નિશાન બનાવીને બદલો લીધો હતો.

આ પણ વાંચોઃ Trekking પર જતાં પહેલાં આ જરૂરી વાતો પર આપો ધ્યાન, એડવેન્ચર બનશે સરળ

  • Follow us on: