નેપાળમાં છેલ્લાં 36 કલાકથી ચાલુ વરસાદે તબાહી મચાવી છે. વરસાદ બાદ થયેલાં ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરે રસ્તાઓ બંધ કરી દીધા, પૂરવ વહી ગયા અને ઓછામાં ઓઠા 40 લોકોના મોત થઇ ચૂક્યા છે. અધિકારીઓ પ્રમાણે, અનેક લોકો લાપતા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
11 લોકો પૂરમાં વહી ગયા
મળતી માહિતી પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પર થયેલા ભૂસ્ખલને અનેક લોકોના જીવ લીધા છે. તો દક્ષિણ નેપાળમાં વિજળી પડવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને ઉદયપુર જિલ્લામાં પૂરની ઝપેટમાં આવવાથી એક વ્યક્તિનુ મોત નીપજ્યુ છે. NDRRMAના જણાવ્યા અનુસાર 11 લોકો પૂરમાં વહી ગયા છે અને તેઓ હજુ સુધી લાપતા છે. જેમની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમ સતત કામ કરી રહી છે. તેમણે કહ્યુ કે, રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે પરંતુ ખરાબ વાતાવરણને કારણે વિસ્તારમાં પહોંચવુ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.













